હાલ નવરાત્રી મહોત્સવના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ભકતો દ્વારા માતાજી સામે માનતા પણ માનવામાં આવે છે તેમજ મનોકામના પૂર્ણ થયા બાદ જે માનતા માની હોય તે પણ પૂર્ણ કરવામાં આવે છે. કેટલાક ભકતો બલી ચઢાવવા અંગેની પણ માનતા માને છે તયારે બિહારમાં આવેલ મુંડેશ્વરી માતાના મંદીર ખાતે ઉત્તર પ્રદેશ અને બિહારના ભકતો માનતા માનવા અને મનોકામના પૂર્ણ થયા બાદ માનતા મુજબની વિધિ કરવા મોટી સંખ્યામાં ભક્તો મુંડેશ્વરી માતાના મંદિરે આવે છે .આ મંદીર બિહારના પટનાથી 200 કિલોમીટર દુર આવેલ છે.આ મંદિર ખાતે ભકતો ઍવી પણ માનતા માને છે કે જો કામ પતી જશે તો માતાજીના દર્શન કરવાં આવીશ અને બલી પણ ચઢાવીશ.. મંદિર ખાતે ભક્ત બલી માટે બકરો લઈને આવ્યા બાદ મંદીરનાં પૂજારીને બકરો આપી દે છે પૂજારી માતાજીની પ્રતિમા પાસે બકરો પગ પાસે મૂકી મંત્રો બોલે છે બકરો બેભાન થઈ જાય છે અને થોડી વાર બાદ જયારે બકરો ભાનમાં આવે ત્યારે ભક્તને પાછો આપવામાં આવે છે… બલીની વીધી પૂર્ણ થઈ હોવાનું માનવામાં આવે છે