Published by : Rana Kajal
- પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ પતિ અને પત્નીના મોતનું કારણ હાર્ટ એટેક….
લગ્નની પ્રથમ રાત્રિએ જ નવ પરણિત યુગલનુ મોત નિપજ્યું હોવાનો કરુણ બનાવ ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં ઍક અત્યંત કરુણ બનાવ બન્યો હતો જેમા પતિ અને પત્નીનું મોત લગ્નની પ્રથમ રાત્રિએ નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બન્નેનુ મોત હાર્ટ એટેકના પગલે થયું હતું… ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામા પતિ પ્રતાપ ઉ. વ.22 અને પુષ્પા ઉ . વ. 20 ના લગ્ન થયા બાદ સુહાગરાતે બન્ને રૂમમાં ગયા હતા પરતું સવારનાં સમયે પતિ પત્ની ના મૃતદેહ મળી આવ્યા હતાં. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ એટેક આવ્યું હોવા છતા હજી આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પતિ અને પત્નીને એકજ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.




