Published by : Rana Kajal
ગુજરાત શિક્ષક જગતમાં નોંધ લેવાઈ હોય તેવી ધટના રાજકોટની ઍક શાળામાં બની હતી. શિક્ષક જગતના સૂત્રોએ આ પ્રકરણમાં પારદર્શક અભીગમ રાખવા શાળા સંચાલકોને અનુરોધ કર્યો હતો આ વિવાદની વિગત જોતાં ગત રોજ બુધવારે શહેરના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને ચાલુ ક્લાસમાં ગણિતના શિક્ષકે ‘આઈ લવ યુ’ બોલવાનું કહેતા વિવાદ થયો હતો. રાજકોટની કર્ણાવતી શાળા
વિદ્યાર્થિનીએ તેમના વાલીને આ અંગે વાત કરતા વાલીએ ગણિત વિષયના શિક્ષક બાલમુકુન્દ સામે કડક પગલાં લેવાની માગણી સાથે સ્કૂલમાં હંગામો મચાવ્યો હતો. વાલીએ કહ્યું હતું કે, સ્કૂલમાં શિક્ષક એ વિદ્યાર્થીના ગુરુ કહેવાય અને ગુરુ થઇને તેઓ આવું કરે તે ખૂબ જ ખરાબ બાબત કહેવાય. મળતી માહિતી મુજબ ક્લાસમાં ગણિત વિષયની સંજ્ઞા બોલવા વિદ્યાર્થીનીને ઉભી કરવામાં આવી હતી.આ દરમિયાન જ વિદ્યાર્થિનીને ક્લાસ વચ્ચે ‘આઈ લવ યુ’ બોલવાનું શિક્ષક દ્વારા કહેવાયું હોવાનું વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું હતું. આ મામલે વિદ્યાર્થિનીના વાલીએ શાળા સંચાલકોને પણ ફરિયાદ કરી હતી ત્યારે વર્ષ પૂર્ણ થયા બાદ આ ગણિતના શિક્ષકને છૂટા કરી દેવા શાળા સંચાલકોએ વાલીને જણાવ્યું હતું. જૉકે શાળા સંચાલકના સૂત્રોએ જણાવ્યુ હતુ કે વાલીએ ખોટું અર્થઘટન કર્યું
સ્કૂલમાં ધોરણ 8માં ઈંગ્લિશ મીડિયમના શિક્ષક બાલમુકુન્દ છે જે બહારના રાજ્યના છે. તેઓ બધા વિદ્યાર્થીઓને ગણિતની પ્લસ અને માઈનસની ફોર્મ્યુલા સમજાવી રહ્યા હતા. દરમિયાન એક વિદ્યાર્થિનીને આ ફોર્મ્યુલા બોલવા ઊભી કરી અને તેને આ ફોર્મ્યુલા ન આવડી. જેથી બાલમુકુન્દે તેને કહ્યું કે, ‘આઈ લવ ધીસ ફોર્મ્યુલા’ એવું બોલ જેથી તને આ ફોર્મ્યુલા પ્રત્યેનો અણગમો દૂર થઇ જશે. ‘આઈ લવ યુ’ બોલવાનું કહ્યું જ નથી. ત્યારબાદ ક્લાસની અન્ય વિદ્યાર્થિનીઓને પણ બોલાવીને પૂછ્યું. આ ઉપરાંત આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે જેમાં સ્પષ્ટ દેખાય છે.આ વિવાદની નોધ રાજ્ય સ્તરે પણ લેવામાં આવી છે અને વિવાદ અંગે સઘન તપાસ કરવા સૂચન કરવામાં આવ્યું છે.