Published by : Rana Kajal
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં અમેરિકાની યાત્રા અગાઉ અમેરિકાના બાઈડેન પ્રશાસને ભારત સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. અમેરિકન વિદેશ વિભાગે આંતર રાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય પર વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમા મુસ્લિમોના ઘરો પર બુલડૉઝર ચલાવવા ખરગૌનમાં મુસ્લિમોના ઘરો પર કરવામા આવેલ હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવો ઉલ્લેખ કરી અમેરિકાએ એમ જણાવ્યુ છે કે ધાર્મિક સમુદાયો પર હુમલાઓમાં ચીન, ભારત રશિયન અને સાઉદી અરબ સહીત ઘણા દેશોની સરકાર સામેલ થાય છે. અમેરિકાના નિવેદને રાજકીય હલચલ ઉભી કરી છે