Home Bharuch અંકલેશ્વરના સારંગપુર ગામની નિર્માણધીન રેસીડેન્સીના બિલ્ડરની મનમાની

અંકલેશ્વરના સારંગપુર ગામની નિર્માણધીન રેસીડેન્સીના બિલ્ડરની મનમાની

0
  • રાત્રીના સમયે સરકારી માર્ગ ખોદી નાખી પાણીનો લીકેજ થતા સ્થાનિકો હોબાળો મચાવ્યો
    • બનાવને પગલે ગામના ડેપ્યુટી સરપંચ સ્થળ પર દોડી આવી બિલ્ડર સામે પગલા ભરવાની ખાતરી આપી

      અંકલેશ્વરના સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલ અંજલી ધારા રેસીડેન્સીના બિલ્ડરે સરકારી માર્ગ ખોદી નાખતા ગ્રામજનોએ હોબાળો મચાવતા ડેપ્યુટી સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા

      છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં મીરાનગર-સારંગપુર ગામની વચ્ચે અંજલી ધારા રેસીડેન્સીનું બિલ્ડર હિંમતભાઈ દ્વારા બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે બિલ્ડર દ્વારા ગતરોજ રાત્રીના સમયે લાખોના ખર્ચે બનાવવામાં આવેલ સરકારી માર્ગનું ખોદકામ કરવામાં આવતા ત્યાંથી પસાર થતી પાણીની લાઈન લીકેજ થતા હજારો લીટર પાણી વહી જતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો આ અંગેની જાણ ગામના ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા અને કોઈપણ લેખિત મંજુરી વિના માર્ગ તોડી પાડનાર બિલ્ડર સામે પગલા ભરવા સાથે પોલીસ ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખની છે કે બિલ્ડર અને ગ્રામ પંચાયતના મેળાપીપણામાં માર્ગનું ખોદકામ કરાયું હોવાની બુમો ઉઠી છે.

      NO COMMENTS

      LEAVE A REPLY

      Please enter your comment!
      Please enter your name here

      error: Content is protected !!
      Exit mobile version