Home Bharuch અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે...

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

0

Published By : Aarti Machhi

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખુબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.

રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ત્યારે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે, લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિધાર્થીને આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે એ સહિતની માંગ કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version