Home India અદાણી ગ્રૂપને ક્લીન ચીટ…

અદાણી ગ્રૂપને ક્લીન ચીટ…

0

Published By : Patel Shital

  • સુપ્રિમ કોર્ટની નિષ્ણાત સમિતિએ આપી ક્લીન ચીટ…

હિન્ડેનબર્ગ દ્વારા ગત તા. 24/01/23 ના રોજ અદાણી ગ્રુપ કપની અંગે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કંપની દ્વારા હિસાબોમાં ગેરરીતિ આચરવાથી માંડીને દેવામાં થયેલ વધારા સુધીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એટલું જ નહી પરંતું શેરોના ભાવ સાથે પણ ઇરાદાપૂર્વક ચેડાં કરાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ હલચલ મચાવનાર રિપોર્ટના પગલે અદાણી કંપનીના શેરના ભાવમાં ખુબ મોટો ઘટાડો થયો હતો. એટલુ જ નહી પરંતું રાજકીય આક્ષેપો પણ વધી ગયા હતા…

હિન્ડેનબર્ગના રિપોર્ટ સામે સુપ્રિમ કોર્ટ દ્વારા નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ રીપોર્ટ અંગે તપાસ કરી હતી. અને અદાણી જૂથને ક્લીન ચીટ આપી હતી. ક્લીન ચીટ આપતા જણાવ્યું હતુ કે અદાણી ગૃપ દ્વારા કંપનીના શેરના ભાવ સાથે કોઇ ચેડાં કરવામાં આવ્યા નથી કે કંપનીએ કોઇ કાયદા કે નિયમોનો ભંગ કર્યો નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version