Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઅનોખો મૌન વિરોધ... દ્રઢ નિર્ણય...ગિરિરાજનો કાંકરો પણ ખરવા નહીં દઇએ : જૈનાચાર્યો...

અનોખો મૌન વિરોધ… દ્રઢ નિર્ણય…ગિરિરાજનો કાંકરો પણ ખરવા નહીં દઇએ : જૈનાચાર્યો…

  • પાલિતાણામા મહારેલી અને ધર્મસભામા 20 હજારથી વધુ લોકો જોડાયા અને રેલીના અંતે ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું…

શત્રુંજય પર્વત ઉપર સીસીટીવી કેમેરાનો થાંભલો અને પેઢીના બોર્ડની તોડફોડ કરનારા તત્વો સામે કડક પગલા ભરવાની માંગણી સાથે સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપુજક તપાગચ્છ મહાસંઘ અમદાવાદ અને મુંબઇ જૈન સંઘ દ્વારા મૌન વિરોધ કરવામા આવ્યો હતો..

જૈન સમાજ દ્વારા આજે યોજાયેલ મહારેલીમાં જૈન સમાજના લોકો બહારગામથી મોટી સંખ્યામાં આવેલ હતા જેમાં ચેન્નઇ, બેંગલોર, મુંબઇ, સુરત, અમદાવાદ, ભાવનગરથી ભાવિકો ઉમટી પડ્યા હતા. આ અંગે એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં શેત્રુંજય મહાતીર્થ રક્ષા સમિતિ અમદાવાદનાં પ્રવકતા અભયભાઇ શાહ એડવોકેટ અને અમદાવાદ જૈન સંઘના મહામંત્રી પ્રણવ કે. શાહ પત્રકારોને જણાવેલ કે શત્રુંજય મહાતીર્થ ઉપર આતંક મચાવનારા તત્વો સામે તાત્કાલીક પગલા ભરવા જોઇએ. ચોક્કસ લોકો વર્ગ વિગ્રહ ઉભો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. મહારેલી પહેલા બપોરના પારણાભવન ખાતે વિશાળ સંખ્યામાં એક વિશાળ ધર્મસભા યોજાયેલ. આ ધર્મસભામાં તમામ ગચ્છના આચાર્ય ભગવંતો, મુની મહારાજા, સાધ્વીજી મ. સા. તેમજ ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

​​​​​​​આ ધર્મસભામાં આચાર્ય ભગવંતોએ જણાવેલ કે, આ વલણ કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આચાર્ય ભગવંતોએ પ્રતિજ્ઞા સાથે જણાવેલ કે અમે ગિરિરાજનો કાંકરો પણ ખરવા નહીં દઇએ જૈન સમાજની વ્યથા, માંગણી પ્રશાસન તાકીદે પ્રશ્ન હલ કરે પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવી આપણે કોઇનું લેવું નથી અને આપણે હક્ક જતો પણ કરવો નથી. કેટલાક લોકો ડોળી એસોસીએશનના નામે લુંટ ચલાવી રહ્યાં છે.જૈન સંઘ દ્વારા ડોળી વાળાઓને GPS સીસ્ટમ વાળી ડોળી આપવામાં આવશે. મૌન તાકાત બતાવવાનો અવસર આવી ચુકયો છે. લારી – ગલ્લા-દબાણો હટાવી તેમને વૈકલ્પીક વ્યવસ્થા કરવી જોઇએ. આ ધર્મસભામાં અંદાજે 20 થી 25 હજાર જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હોવાનો દાવો સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ધર્મસભામાં વિશાળ સંખ્યામાં ભાવિકો આવેલા હતા અને પારણાભવનનું મેદાન પણ ટુંકું પડી ગયું હતું.જય જય આદિનાથના જય ધોષ સાથે પારણાઘરથી એક વિશાળ મહારેલી ચાર વાગે નિકળેલ હતી આ રેલીમાં જૈન શ્રેષ્ઠીઓ, જૈન સમાજના આગેવાનો, ભાવિકો તેમજ બહેનો, યુવાનો અને સાધ્વીજી મ.સા જોડાયા હતા. આ રેલીમાં લગભગ એક કી.મી લાંબી હતી. આ વિશાળ મહારેલીમાં 25 હજાર જેટલા ભાવિકો જોડાયા હતા. આ રેલી તળેટી માર્ગ પર ફરીને પ્રાંત કચેરીએ આવેલ હતાં પ્રાંત કચેરીમાં પણ સભા કરવામાં આવેલ અને વકતાઓએ તંત્ર તાકીદે પગલા ભરે તેવી માંગણી કરેલ જૈન શ્રેષ્ઠીઓએ જૈન સમાજના જુદા-જુદા 19 મુદ્દાઓને લગતુ આવેદનપત્ર ડેપ્યુટી કલેકટરને આપવામાં આવેલ ડેપ્યુટી કલેટર સીધ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, 19 મુદ્દાઓના નિકાલ માટે તંત્રના અધિકારીઓની કોર્ડીનેશન કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.રવિવારે રજાનો દિવસ હોવા છતાં જૈનોની મહારેલીના અનુસંધાને આવેદનપત્ર સ્વીકારવા સાંજના પ્રાંત કચેરી ખુલ્લી રાખવામાં આવેલ હતી. પાલિતાણા ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જ આવી મોટી વિશાળ રેલી નિકળી હતી. જેમાં તમામ લોકો શિસ્તબધ્ધ અને મૌન રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!