Published by : Rana Kajal
અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇકલિંગ કરવાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇકલિંગ કરવાના રેટમાં 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી રિવરફ્રન્ટ પર સાઇકલ ચલાવવાના પ્રતિ કલાકના આઠ રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ પ્રતિ કલાકના બે રૂપિયા વસૂલવામાં આવતા હતા. હવે 15 મિનિટના બે રૂપિયા વસૂલવામાં આવશે. 30 દિવસના સબસ્ક્રિપ્શન માટે 199 રૂપિયાનો પ્લાન યથાવત રાખવામાં આવ્યો છે..
કોરોનાને કારણે લોકોમાં તેમના સ્વાસ્થ્યને લઈને જાગૃતતા વધી છે. ત્યારે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર કસરત કરવા, જોંગીગ કરવા અને સાયકલિંગ કરવા જતા હોય છે, તેમજ ફુરસદના સમયે પણ સાઈકલિંગ રિવરફ્રન્ટ પર સમય પસાર કરતા હોય છે. રિવરફ્રન્ટ પર ચાલતો આ સાયકલિંગનો પ્રોજેક્ટ લોકપ્રિય બનતાં જ તેના રેટમાં ખાનગી કંપની દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને શિયાળાના સમયમાં લોકો પોતાને તંદુરસ્ત રાખવા સાયકલિંગની મજા સાથે કસરત કરતા હોય છે ત્યારે સાઈકલિંગના રેટમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે દર કલાકના 8 રુપિયા ચૂકવવા પડશે. તેમજ 15 મીનિટના 2 રુપિયા વસૂલવામાં આવશે. આ સાથે હવે તમારે 30 દિવસ માટે 199નો રિચાર્જ પ્લાન લેવો પડશે.