Published by : Rana Kajal
- કોવિડ બાદ રાજ્યમાં હાઇપર ટેન્શનના દર્દીઓ વધ્યા..
આજે તા 17મેંના દિવસને દુનિયામાં વર્લ્ડ હાઇપર ટેન્શન ડે તરીકે ઉજવવામાં આવે છે..રાજ્યમાં કોરોનાં મહામારી બાદ હાઇપર ટેન્શન ના દર્દીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. હવે તો યુવાનોમાં હાઇપર ટેન્શન જેવી બીમારી જણાવા માંડી છે. આવી બીમારીના કારણે હ્રદય રોગ પણ થઈ શકે છે ગુજરાતમાં 15 થી 49 વર્ષની ઉંમરમાં 14પુરુષો અને 11ટકા મહિલાઓ હાઇપર ટેન્શનની બીમારીથી પીડાઈ રહ્યાં છે આ આંકડા વર્ષ 2021ના છે જેમાં દર્દીઓની સંખ્યામા વધારો થયો હોવાનું જણાઇ રહ્યું છે. જ્યારે દેશમાં 24 ટકા પુરુષો અને 21ટકા મહિલાઓ હાઇપર ટેન્શન જેવી બીમારીથી પીડિત છે તબીબો એમ માની રહ્યાં છે કે આ બીમારી સ્ટ્રેસ એટલે કે માનસિક ચિંતાના કારણે થાય છે.આ રોગ મટી શકતો નથી પરંતું નિયંત્રણ માં રાખી શકાય છે. જે માટે દર્દીએ ખાવામાં નમક ઓછું કરી દેવું જોઈએ અને નિયમિત યોગ અને કસરત કરવી જોઈએ