Published by : Rana Kajal
- ગુજરાતમાં 5 અને દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો શરૂ કરાશે…
- નર્મદા જિલ્લાનાં રાજપીપળા ખાતે નવી નર્સિંગ કોલેજ શરૂ કરાશે ….
કોરોના મહામારી બાદ આરોગ્ય ક્ષેત્ર કુશળ મેન પાવરની અછતની સમસ્યા સામે આવી છે. તબીબો તેમજ નર્સિંગ સ્ટાફની અછતના પગલે આરોગ્યના ક્ષેત્રે સમસ્યાઓ સર્જાઈ હતી. આ સમસ્યાઓ હળવી કરવા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય અનુસાર આવનારા સમયમાં ગુજરાતમા 5 સહીત દેશમા 157નવી નર્સિંગ કોલેજો શરૂ કરવામા આવશે. જે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેન્દ્રિય બેઠકમા મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમા 5 નર્સિંગ કોલેજો શરૂ કરાશે. જેમા નવસારી, પોરબંદર, ગોધરા મોરબી અને નર્મદા જિલ્લાના રાજપીપળા પાંચ નવી નર્સિંગ કોલેજ શરૂ કરવામા આવશે. તેથી રાજ્યમા કુલ 500 નર્સિંગની બેઠકોમાં વધારો થશે.