Published by : Rana Kajal
સિંગાપોર દેશમા પર્યાવરણને ખુબ મહત્વ આપવામાં આવે છે આજ કારણોસર સિંગાપોરમા ખુબ મોટા પ્રમાણમાં વૃક્ષા રોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેથીજ તેને ” ગાર્ડન સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંગાપોરના પૂર્વ વડા પ્રધાન લી કૂઆન યુ દ્વારા ખુબ મોટી સંખ્યામાં વૃક્ષા રોપણ કાર્યક્રમની શરુઆત કરવામા આવી હતી. જે આજદિન સુઘી ચાલુ જ છે. હાલમાં જ સિંગાપોરમાં એશિયાની સૌથી મોટી લાકડાની ઇમારત તૈયાર કરવામાં આવી છે. આ ઇમારતની અંદર પ્રવેશતાની સાથેજ કોઇ વ્યકિતને જંગલમાં પ્રવેશ કરતા હોય તેવી લાગણી થાય છે.આ 6 માળની ઇમારતની ઉંચાઈ 81 ફૂટ છે જેને તૈયાર કરવામા 7 અબજ રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે.43500 વર્ગ મીટરમા ફેલાયેલ આ ઈમારતમાં 90 ટકા લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈમારતમાં બેન્ચ, દરવાજા, રૂમ લાકડામાંથી બનાવવામાં આવેલ છે. ઇમારત નુ નામ પ્રાચીન ગ્રીક દેવી “ગૈયા” રાખવામાં આવ્યું છે