Home Bharuch ઓરિસ્સાના બિછીભાઈના અથાક પ્રયાસોને કારણે કાચબાના મૃત્યુમાં થયો ઘટાડો…ભરૂચમાં પણ રતન તળાવના...

ઓરિસ્સાના બિછીભાઈના અથાક પ્રયાસોને કારણે કાચબાના મૃત્યુમાં થયો ઘટાડો…ભરૂચમાં પણ રતન તળાવના કાચબાઓને બચાવી શકાય…

0

Published By : Parul Patel

ભરૂચ નગરનાં રતન તળાવના કાચબાઓ પ્રદુષિત પાણી અને અપૂરતા ઓકસીજનના કારણે મોત પામી રહ્યા છે, ત્યારે ઓરિસ્સામાં કાચબા બચાવવા અંગેનાં અભિયાનની વિગતો સામે આવી છે.

દેશના ઓરિસ્સા રાજયનાના રહેવાસી બિછીભાઈ દરિયામાં જીવોનું સંતુલન જાળવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ અભિયાનમાં તેમની સાથે ઘણાં યુવાનો જોડાયા છે. બિછીભાઈ જણાવે છે કે, આ અભિયાન તેમણે જ્યારે તેઓ 8,મા ધોરણમાં હતા ત્યારે શરૂ કર્યું હતું. તઓએ એમ પણ જણાવ્યું કે, જ્યારે તે 8મા ધોરણમાં હતા ત્યારે તે દરરોજ સ્કૂલ પછી સમી સાંજે બીચ પર આવતા હતા અને હજારો કાચબાઓને તડપી તડપીને મરતા જોતા હતા. ત્યારથી કાચબાઓને બચાવવાનું અભિયાન શરૂ કર્યું. આગળ જણાવ્યું કે, અમે લોકોને કાચબાના રક્ષણ વિશે લોકોમા સભાનતા લાવી. યુવાનોએ તો આખું જીવન સમુદ્રને આપી દીધું છે. આવા સમાજિક પ્રચારમાં બિછીભાઈ એવાં વ્યસ્ત થઈ ગયા કે, પ્રચારને કારણે લગ્ન કરવાનું માંડી વાળ્યું. આં યુવાનોનો માત્ર અને માત્ર ઉદ્દેશ્ય કાચબાઓને હેમખેમ રાખવાનો છે.

ભરૂચના લોકો અને યુવાનો પણ આવા જાગૃતિના કાર્યક્રમો કરી સૂતેલા તંત્રને જગાડી રતન તળાવના કાચબાઓના જીવ બચાવી શકે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version