Sunday, September 14, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઓસ્ટ્રેલિયામાં ભારતનાં કેટલાક છાત્રો પર મુકાયેલ પ્રતિબંધનુ પ્રકરણ...

ઓસ્ટ્રેલિયામાં ભારતનાં કેટલાક છાત્રો પર મુકાયેલ પ્રતિબંધનુ પ્રકરણ…

Published By:- Bhavika Sasiya

  • રાજયના ભરૂચ સહિતના જિલ્લાઓમાં ફેલાઇ ચિંતા.
  • દેશનાં વિદેશ મંત્રીએ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરીશું એમ જણાવ્યુ.

ભારતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા મુકાયેલ પ્રતિબંધના પગલે ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં ચિંતા ફેલાઇ ગઇ છે . તેવામાં નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલ દેશનાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યુ હતુ કે આ બાબતે ઓસ્ટ્રેલિયા સરકાર સાથે વાતચીત કરવામાં આવશે.

હાલના દિવસોમાં વિઝાનો કરાતો દુરુપયોગના પગલે ભારતનાં 5 રાજ્યોના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયાની સરકારે પ્રતિબંધ મૂકેલ છે . જેના પગલે ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં પણ ચિંતાની લાગણી ફેલાઇ ગઇ છે. અત્રે નોંધવું રહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મૂળ ભરૂચ જિલ્લાનાં રહીશો પણ વસવાટ કરી રહ્યા છે. સાથેજ ઘણા ભરૂચ જિલ્લાનાં વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છા ધરાવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ચિંતા ફેલાઇ ગઇ છે..

આવી પરિસ્થિતિમાં હાલમા દેશનાં વિદેશ મંત્રી એસ . જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે આવતા તેમણે આ સમસ્યા અંગે જણાવ્યુ હતુ કે આ અંગે ઓસ્ટ્રેલિયા સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!