Home News Update My Gujarat કેન્દ્ર સરકારે કરી જાહેરાત… પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના બે પોલીસ અધિકારીનું રાષ્ટ્રપતિ...

કેન્દ્ર સરકારે કરી જાહેરાત… પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાતના બે પોલીસ અધિકારીનું રાષ્ટ્રપતિ એવોર્ડથી થશે સન્માન

0

Published by : Rana Kajal

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ એ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોના કર્મચારીઓને 901 સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી હતી. આ મેડલમાં ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. જયારે રાજ્યના 12 અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી છે. ગુજરાતના રાષ્ટ્રપતિ એવાર્ડ માટે રાજ્યના એડીજીપી અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે.કે. પટેલની પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત પ્રજાસત્તાક પૂર્વે આની જાહેરાત કરવામાં આવી છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જવાનોની યાદીમાં વીરતા માટે પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે કુલ 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG) 140 જવાનોને, 93ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) અને 668ને મેરીટોરીયસ સર્વિસ (PM) માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version