Published By : Parul Patel
ભૂત પ્રેતનુ અસ્તિત્વ છે કે નહીં તે જે તે માનવીની પોતાની વ્યક્તિગત માન્યતા છે. પરંતુ ભૂતના ભય થી રેલવે સ્ટેશન 42 વર્ષ બંધ રહ્યું હોય તેવી ધટના સામે આવી છે.
ભૂત પ્રેત સાથે સંકળાયેલ આ વિચિત્ર ઘટનાની વીગત જોતા દેશનાં પશ્ચિમ બંગાળમાં પુરૂલિયા જિલ્લાના નાનકડા બેગુનકોડોર નામનું નાનકડું રેલવે સ્ટેશન આવેલ છે. જ્યાં 1960માં સ્ટેશન ખુલ્લુ મુકાયા બાદ સાતેક વર્ષ પછી અચાનક એક કર્મચારીએ ભૂત જોયુ હોવાની વાત ફેલાવી હતી, પરંતું કોઈએ સાચુ ન માન્યુ. આખરે રાત્રે સ્ટેશન માસ્ટર રાત્રીના સમયે તેની ચોકસાઈ કરવા ગયા કે મામલો શું છે..? તેમણે રાત્રીના સમયે સફેદ સાડીમાં ફરતી સ્ત્રીને જોઈ. અને થયું પણ એવું કે બીજા દિવસે સ્ટેશન માસ્ટરના પરિવારજનો મૃત હાલતમાં મળી આવ્યા. સ્ટેશનના તમામ કર્મચારીઓમાં ભય વ્યાપી ગયો. તમામ કર્મચારીએ ફરજ બજાવવાની ના પડી દીધી, ઇન્કાર જ કરી દીધો. લોકોમાં પણ ભય ફેલાયો ગયો. સ્ટેશન પરથી લોકોની અવરજવર બંધ થઈ. આખરે ટ્રેનો પણ ઉભી રહેતી બંધ થઈ ગઈ.
42 વર્ષ બાદ મમતા બેનરજીએ આ સ્ટેશનનુ ફરી ઉદઘાટન કર્યું. હવે આ સ્ટેશન પર શાંતી છે.