Home News Update ખોટી રીતે બદનામ કરવા બદલ જિનેન્દ્ર શાહ સામે ભાજપ પ્રદેશ પ્રમુખ ભરશે...

ખોટી રીતે બદનામ કરવા બદલ જિનેન્દ્ર શાહ સામે ભાજપ પ્રદેશ પ્રમુખ ભરશે ફોજદારી પગલા…

0

Published by : Rana Kajal

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જિનેન્દ્ર શાહ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને રદીયો આપ્યો હતો સાથે જ પાટિલે જણાવ્યું હતું કે તેઓ જિનેન્દ્ર શાહ સામે તેઓ ફોજદારી કાર્યવાહી કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલે એમ પણ જણાવ્યું કે જિનેન્દ્ર શાહ કેટલાક ચોક્કસ વ્યક્તિઓની દોરવણીથી આવા પાયા વિહોણા આક્ષેપ થઈ રહ્યા છે. પાટીલ સામે થઈ રહેલા આક્ષેપની વિગત જોતાં જિનેન્દ્રએ ઍક વિડિયો બહાર પાડી જણાવ્યું હતું કે પાટીલે ચૂંટણીના સમયે પાટીલે જિનેન્દ્રને ફંડ લાવી આપવા જણાવ્યું હતું તેમજ 10 ટકા કમિશનની પણ ઑફર પણ કરી હતી. સાથેજ ભાજપ તરફી મતદાન કરાવવા પણ જણાવ્યું હતું. જેના બદલામાં પાટિલે મહત્વનો હોદ્દો આપવાની વાત કરી હતી. જૉકે ચૂંટણી પતી ગયા બાદ પાટિલે તેમનાં વચનો પાળ્યા ન હતા. જોકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે તમામ આક્ષેપો અંગે રદીયો આપી ફોજદારી કરવાં અંગે જણાવ્યું હતું. તે સાથે પાટીલના અંગત માણસો એમ પણ જણાવી રહ્યા છે કે પાટીલ ના નજીકનાં માણસો જ તેમને હેરાન કરી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version