Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateગર્ભાશયના કેન્સરથી નહી થાય કોઇ મહિલાનુ મોત, સરકાર આપશે દરેક તરૂણીને રસી…

ગર્ભાશયના કેન્સરથી નહી થાય કોઇ મહિલાનુ મોત, સરકાર આપશે દરેક તરૂણીને રસી…

ગર્ભાશયનું કેન્સર મહિલાઓના મોતનાં મોટા કારણો પૈકીનું એક છે. દર વર્ષે સેંકડો મહિલાઓના મોત ગર્ભાશયના કારણે થાય છે. આવી સ્થિતિમાં જો છોકરીઓની નાની ઉંમરે જ ગર્ભાશયના કેન્સરની રસી મળી જાય તો આ રોગથી તેમનો બચાવ થઇ શકે છે. તેઓ સારી રીતે માતા બની શકે છે. ભાવી માતાઓને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે વિચારણા કરીને એક ખુબ જ મોટો પરંતુ સરાહનીય નિર્ણય લીધો છે.

ગર્ભાશયના કેન્સર સામે લડવા સરકારે તૈયાર કર્યો રોડમેપ

ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે કેન્દ્ર સરકારે આ અંગેની યોજના બનાવી લીધી છે. શાળામાં અભ્યાસ દરમિયાન જ 9 થી 14 વર્ષની તરૂણીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે. સર્વાઈકલ કેન્સર ભારતીય મહિલાઓને થતા કેન્સરમાં બીજા નંબર પર આવે છે. વૈશ્વિક સ્તરે સર્વાઈકલ કેન્સરને મહિલાઓમાં મોટો રોગ માનવામાં આવે છે.

સરકાર ટુંક જ સમયમાં આ અંગે જાહેરાત કરશે

કેન્દ્ર સરકાર દ્વારા હવે આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે 9 થી 14 વર્ષની તરૂણીઓને ગર્ભાશયની વેક્સિન અપાવાનું ક્યારથી શરુ થશે તે અંગે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરાઈ નથી. જો કે યોજના પર સરકાર યુદ્ધના ધોરણે કામગીરી ચલાવી રહી છે. ટુંક જ સમયમાં આ અંગેની જાહેરાત થશે.

શું છે સરકારનો રોડમેપ?

– સર્વાઈકલ કેન્સરની રસી એવી શાળાઓને પ્રાથમિકતા અપાશે જ્યાં યુવતીઓની સંખ્યા સૌથી વધારે હોય.
– જે તરૂણીઓ અભિયાનના દિવસે શાળાએ નહીં આવે તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર દ્વારા રસી અપાશે.
– 9 થી 14 વર્ષની બહારની તરૂણીઓને સામુદાયિક અભિયાનો અને મોબાઇલ ટીમો દ્વારા રસી અપાશે.
– યુ-વિન એપ્લિકેશનનો ઉપયોગ નોંધણી માટે થઈ શકે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!