Home News Update My Gujarat ગિરનાર પર્વતની અદભુત કહાણી…

ગિરનાર પર્વતની અદભુત કહાણી…

0

Published by : Rana Kajal

  • ગિરનાર ઍટલે પર્વતનું આંગણું, આગામી 8 જાન્યુઆરીથી આદિવાસી બાળકો માટે શરૂ થશે બેઝિક કેમ્પ …..
  • પર્વતારોહકો માટે પ્રકૃતિ વંદનાનું કેન્દ્ર એટલે ગિરનાર….

ઘંટાલો પરણે ઘંટલીને ગીરમાં છાકમછોળ, હિરણ-સરસ્વતી જાનડિયું અણવર વાંસાઢોળ. ગીર અને ગિરનારના લોકો એટલા પર્વત પ્રેમી છે કે, અહિં સાસણ નજીક ગામમાં એક ચારણ કવિને લોકો વાંઢો કહેતા. સાથે એમ પણ કહેતા કે, તું બીજાના લગ્નમાં જઈ આવે છે અમે તારી જાનમાં ક્યારે આવીશું?આ હળ હળ તું મેણું લાગી આવતા મેણું ભાંગવા ચારણ કવિએ સાસણ નજીકના આ નર-નારી રૂપના બે પર્વતના લગ્ન કરાવીને આ પ્રસિદ્ધ દુહો લખ્યો હતો જે આજે પણ ખૂબ જાણીતો છે. ગીર અને ગિરનાર પંથકમાં નર-નારી સ્વરૂપે અનેક ટેકરીઓ આવેલી છે જે દાદરિયો અને દાદરેચી તેમજ રાયડો અને રાયડી તરીકે ઓળખાય છે જૂનાગઢમાં આવેલા હિમાલયના પ્રપિતામહ સમાન ગિરનારની વંદના તો કરવી જ પડે.જૂનાગઢ ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રનો પ્રારંભ 5 મે 1979ના રોજ તત્કાલીન આરોગ્યમંત્રી અને જૂનાગઢના મહિલા આગેવાન હેમા આચાર્યના હસ્તે કરવામાં આવ્યો હતો. જૂનાગઢ પર્વતારોહણ માટે ગિરનાર પર્વતને કારણે વિશ્વ પ્રસિદ્ધ છે.પર્વતોએ ધરતીને શણગાર નથી કર્યો પણ ધરતી ઉપરનું જીવન ટકાવી રાખી તેને સ્વર્ગ સમાન બનાવી છે. ગિરનારએ પર્વતારોહકો માટે પ્રાયમરી શાળાથી લઈ કોલેજ સુધીનું જ્ઞાન આપતો ડુંગર છે. ગિરનાર પર્વત 3,666 ફૂટ ઉંચો છે અને તેને ટ્રેકિંગ કરીને ચડવોએ અદભુત સાહસ છે, જે ખેડવા અહિં યુવક-યુવતિઓ આવે છે. હાલ અહિં બેઝિક અને એડવેન્ચર કેમ્પ કરાય છે. આવનાર 8 થી 13 જાન્યુઆરી એમ 6 દિવસ માટે આદિવાસી જિલ્લાના બાળકો માટે કેમ્પનું આયોજન કરાયું છે      

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version