Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતની 200 સ્યુસાઇડ નોટનું વિશ્લેષણ, આપઘાત કરવાનું સૌથી મોટુ કારણ આર્થિક તંગી..

ગુજરાતની 200 સ્યુસાઇડ નોટનું વિશ્લેષણ, આપઘાત કરવાનું સૌથી મોટુ કારણ આર્થિક તંગી..

Published by : Vanshika Gor

  • ગુજરાતના ફોરેન્‍સીક વિભાગે કર્યુ 200 અંતિમ ચિઠ્ઠીઓનું પોસ્ટમોર્ટમ
  • આપઘાતનો વિચાર આવતા કે થોડા દિવસો પેહલા લખાઈ છે અંતિમ ચિઠ્ઠી
  • નાણાં ભીડની સ્યુસાઇડ નોટો તો 10 પાના કે તેથી વધુ લાંબી
  • 37 ટકા સ્યુડાઈડ નોટ માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર-પુત્રી,ભાઈ-બહેન અને પોલીસને સંબોધીને લખાઈ છે
  • 73 ટકા સ્યુસાઇડ નોટ પુરુષો દ્વારા લખાયેલી, 10 માંથી 9 નોટ ગુજરાતી ભાષામાં
  • આપઘાતનો વિચાર અને પગલું ભરવા વચ્ચેનો સમય અત્યંત મનોમંથન તેમજ અકલ્પનિય પીડાદાયક

ગુજરાત ફોરેન્સ્ટિક વિભાગે 200 સ્યુસાઇડ નોટના કરેલા વિશ્લેષણોમાં રુંવાડા ઉભા કરી દે તેવા તથ્યો જારી કરાયા છે. અંતિમ ચિઠ્ઠીને આપઘાત કરનારનો છેલ્લો કલ્પાંત ગણાવી તે વખતનો મનોભાવ, પીડા અકલ્પનિય કહેવાય છે.સુસાઇડ નોટ આપઘાત કરનારનો છેલ્લો કલ્‍પાંત હોય છે. જે ગુનાની તપાસ અને કોર્ટે કાર્યવાહીમાં મહત્‍વનો ભાગ ભજવવા ઉપરાંત પણ ઘણુ કહી જાય છે તે ભોગ બનનારનો ન્‍યાય મેળવવાનો છેલ્લો પ્રયાસ હોવા ઉપરાંત તે વખતના તેના મનોભાવો પણ વ્‍યકત કરે છે. એવું તાજેતરમાં ગાંધીનગરના ડીરેકટર ઓફ ફોરેન્‍સીક સાયન્‍સીઝના 200 સુસાઇડ નોટના વિશ્‍લેષણમાં કહેવાયું છે.વિશ્‍લેષણમાં દર્શાવાયુંછે કે, 73 ટકા સુસાઇડ નોટ પુરૂષો દ્વારા લખાઇ હતી. 10 માંથી 9 સુસાઇડ નોટ માતૃભાષા ગુજરાતીમાં લખાઇ હતી અને 50 ટકા નોટ આપઘાતનું કારણ ગંભીર નાણાંકીય સ્‍થિતિ અથવા પૈસા અંગેની તકલીફનું હતુ. ફકત 37 ટકા સુસાઇડ નોટ પતિ, પત્‍ની, માતા, પુત્ર અથવા પોલીસ જેવી ખાસ વ્‍યકિતને સંબોધીને લખાઇ હતી.

વિશ્‍લેષણ સાથે સંકળાયેલ ફોરેન્સિક સાયન્સના અધિકારીના કહ્યા મુજબ, આ નોટ એ પણ દર્શાવે છે કે આપઘાતનો નિર્ણય જે ક્ષણે લેવાયો હતો કે ઘણા દિવસોના વિચારો પછી લેવાયો હતો. કેટલાક કેસોમાં 10 પાનાથી પણ વધારે લાંબી નોટ મળી હતી. એટલે શકય છે કે, તે લખવામાં કેટલાક દિવસો અથવા અઠવાડીયાઓ લાગ્‍યા હોય. 10 પાનાથી વધારે લાંબી સુસાઇડ નોટોમાંથી મોટાભાગની આર્થિક તંગીની હતી.આર્થક, પારિવારિક, અભ્યાસ, બેકારી, બીમારી કે અન્ય કોઈપણ કારણ હોય લોકોની સહનશીલતા ઘટી રહી છે. વ્યકિત જ્યારે તમામ સ્તર અને બાજુથી એકલો અટૂલો તેમજ નિસહાય મહેસુસ કરે છે ત્યારે જીવનનો અંત લાવવાના વિચારો વધુ હાવી થઈ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!