Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતમાં આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓમાં ચિંતાજનક વધારો…

ગુજરાતમાં આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓમાં ચિંતાજનક વધારો…

Published by : Rana Kajal

  • વિદ્યાર્થી આપઘાતની ઘટનામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, 5 વર્ષમાં 3,002 બનાવો બન્યા…
  • માનસિક તણાવ અને અન્ય કારણોસર ગુજરાતમાં આત્મહત્યા વિદ્યાર્થીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

હાલમાં એક તારણ મુજબ દેશમાં રોજના 35 વિદ્યાર્થી આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે…વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓમાં 5 વર્ષમાં 32 ટકાનો ચિંતાજનક વધારો થયો છે. એઈમ્સમાં 11 અને IIMમાં 4 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હોવાનું પણ જણાયું છે. દેશમાં રોજના 35 વિદ્યાર્થી એટલે કે, દર કલાકે 1-2 આપઘાતની ઘટના ઘટતી હોવાની વિગતો એક શૈક્ષણિક સંસ્થાના રિપોર્ટના આધારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે.આ રિપોર્ટના આધારે જાહેર કરાયેલા તારણો મુજબ વિદ્યાર્થીઓની આપઘાતની ઘટનામાં ગુજરાત દેશના બીજા ક્રમે આવે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 3,002 વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં પાંચ વર્ષમાં 32 ટકાનો વધારો અતિ ચિંતાજનક અને ગંભીર છે. આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે સરકાર પગલા ભારે તેવી માંગ ઉભી થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!