- અંદાજે ૬૦ થી ૭૦ ટકા ઉંધોગોએ ઉત્પાદન બંધ થવાની શક્યતા
આત્મ નિર્ભર ભારતની પહેલ બાદ વૈશ્વિક સ્તરે ભારત સતત સ્વાવલંબી બની રહ્યુ છે પરંતુ કેમિકલ ઉત્પાદન ક્ષેત્રે મુખ્ય સ્પર્ધક એવા ચીને આજકાલ ડમ્પીંગ ડ્યુટીમાં તોતિંગ વધારો ઝીંકી દેતા અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે
પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત સહીત ભરૂચ જિલ્લાના કેમિકલ ઉદ્યોગો અને તેમાં પણ પીગમેન્ટ બનાવતા ઉદ્યોગો જે માલ ચીન માં નિકાસ કરે છે તેના પર ચીને તોતિંગ ડ્યૂટી લાદી દીધી છે જેને પરિણામે અહીં થી નિકાસ થતા માલની ત્યાં લેવાલી ઘટી છે તો ત્યાંની સરકાર ભારતીય માલ પરત મોકલી રહ્યુ છે. આ પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લા સહીત અંકલેશ્વરના પીગમેન્ટ ઉદ્યોગોએ નિકાસ ઉપર પાછી પાની કરવી પડી રહી છે. જેની અસર ઉત્પાદન ક્ષમતા ઉપર પડી છે. તો અંદાજે ૬૦ થી ૭૦ ટકા ઉંધોગોએ ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે.આ ઉપરાંત રશિયા અને યુકરૈન માં યુદ્ધ ની પરિસ્થિતિ વચ્ચે યુરોપ સહિતના દેશો માં પણ નિકાસ ઘટી છે તેમજ મંદિનો માહોલ સર્જાયો છે. પીગમેન્ટ, ફાર્મા તેમજ તેને સંલગ્ન અન્ય ઉદ્યોગો પણ આ પરિસ્થિતિમાં આર્થિક નુકશાની નો સામનો કરી રહ્યા છે સ્થાનિક ઉદ્યોગ કારો એ આ અંગે સરકાર યોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડે તેવી લાગણી વ્યક્ત કરી છે