Home News Update Nation Update છેલ્લા નાણાકીય પાંચ વર્ષમાં દેશની બેન્કોએ રૂ.10.09 લાખ કરોડની લોનનું સમાધાન કર્યુ

છેલ્લા નાણાકીય પાંચ વર્ષમાં દેશની બેન્કોએ રૂ.10.09 લાખ કરોડની લોનનું સમાધાન કર્યુ

0

રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામને છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં દેશની બેંકોએ પરત નહી આવી રહેલી એવી રૂ.૧૦,૦૯,૫૧૧ કરોડની લોન સમાધાન કર્યુ હોવાનું જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બેંકોએ આપેલી લોન કે જેની સામે લોન પરત નહી આવી રહી હોવાથી રિઝર્વ બેંકના નિયમો અનુસાર જોગવાઈ કરી માંડવાળ કરવામાં આવી છે.

નાણામંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે માંડવાળ કરવામાં આવેલી રકમ પરત મેળવવા બેંકો દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવે છે. કાર્યવાહી અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૧૦,૦૯,૫૧૧ કરોડની કુલ લોનને માંડવાળ ગણવામાં આવી છે,’ એમ નાણામંત્રીએ જણાવ્યું હતું. જોકે, ગૃહમાં રજૂ કરેલા આંકડા અનુસાર રૂ.૧૦૦ની માંડવાળ સામે માત્ર રૂ.૧૩ ની વસૂલાત જ શક્ય બની છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version