Home News Update My Gujarat જૂનાગઢમાં દબાણ હટાવવા ગયેલ પોલીસ પર ટોળાનો હુમલો…

જૂનાગઢમાં દબાણ હટાવવા ગયેલ પોલીસ પર ટોળાનો હુમલો…

0

Published by: Rana kajal

  • પોલીસ પરના પથ્થરમારામાં 1 DySP, 3 PSI સહિત અન્ય પોલીસકર્મીઓને થઈ ઈજા…લાઠી ચાર્જ કરાયો તેમજ ટીયર ગેસ છોડાયો

જૂનાગઢમાં પોલીસ અને ટોળા વચ્ચે દબાણ હટાવતા સમયે ભારે ઘર્ષણ થયુ હતું. ટોળાએ વાહનોમાં કરી તોડફોડ કરી હતી, તેમજ અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. તે સાથે પોલીસે તંગ પરિસ્થિતી પર કાબૂ મેળવવા ટિયર ગેસ સેલ છોડ્યા હતા. જૂનાગઢના મજેવડી દરવાજા પાસે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ એક ધર્મસ્થાનને નોટિસ આપતા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. અત્યારસુધી આ પથ્થરમારાની ઘટનામાં 1 DySP, 3 PSI સહિત અન્ય પોલીસકર્મીને ઈજા પહોંચી છે જૂનાગઢમાં પોલીસ દ્વારા એક ધર્મસ્થાનને નોટિસ આપવામાં આવી હતી. જે બાદમાં કેટલાક લોકો દ્વારા મજેવડી દરવાજા પાસે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં ઇસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 1 DySP, 3 મહિલા PSI સહિત પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી.

પોલીસે ટોળું વિખેરવામાં ટીયર ગેસના સેલ છોડ્યા હતા અસામાજિક તત્વોએ બાઈક સળગાવીને, ST બસો પર પણ પથ્થરમારો કર્યો હતી. આ સાથે મજેવડી ગેટ પોલીસ ચોકી પાસે પોલીસ વાહન પર પથ્થરમારો કરતાં પોલીસે ટોળું વિખેરવામાં ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version