Published By : Disha PJB
ગરમ મસાલાની અસર ગરમ હોય છે, તેથી વધુ માત્રામાં અને સતત ગરમ મસાલાનું સેવન નુકશાન પહોંચાડી શકે છે. તેનાથી પાઇલ્સ, છાતીમાં બળતરા, એસિડિટી, પેટમાં બળતરા જેવી સમસ્યા થઇ શકે છે.
ગરમ મસાલાનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ગરમ મસાલા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પરંતુ ગરમ મસાલાને ગરમ કહેવામાં આવે છે કારણ કે તેની તાસીર સૌથી વધુ ગરમ હોય છે.
તેમજ તમે ગરમીમાં ગરમ મસાલા જેવા કે, તજ, કાળા મરચા, જાયફળ, લવિંગ-બાદિયા વગેરેનું સેવન વધારે કરશો, તો તમને નુકશાન થઈ શકે છે. વધુ સેવન ન કરવા માટે આ બધા મસાલાનો પાવડર કરીને અડધી અથવા એક ચમચી જેટલો જ ભોજનમાં ઉપયોગ કરો. તેનાથી વધુ ગરમ મસાલા ભોજનમાં ન લેવા જોઈએ.
ગરમ મસાલામાં જોવા મળતા મોટાભાગના મસાલા ગરમ પ્રકૃતિના હોય છે. તેથી જો તમે વધારે માત્રામાં તેનું સેવન કરો તો તે તમારા માટે હાનિકારક બની શકે છે. ગરમ મસાલાની આડઅસરોમાં છાતીમા બળતરા, એસિડિટી, પેટમાં બળતરા નો સમાવેશ થઇ શકે છે. માટે ગરમ મસાલાનો ઉપયોગ ઓછી માત્રામાં કરવાની સલાહ આપવામાં આવે છે.