Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeFoodડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વનું…ડાયાબિટીસના દર્દીઓએ સાંજે 7 વાગ્યા પછી ખાવું જોઈએ નહીં…ડિનર,...

ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વનું…ડાયાબિટીસના દર્દીઓએ સાંજે 7 વાગ્યા પછી ખાવું જોઈએ નહીં…ડિનર, જાણો એક્સપર્ટ પાસેથી આ મહત્વની વાત…

Published By : Parul Patel

સમગ્ર વિશ્વ અને સાથે ભરૂચ જિલ્લામાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, ત્યારે હાલમાં તબીબોએ એક સર્વેના આધારે એમ જણાવ્યુ છે કે, ડાયાબિટીસના દર્દીઓએ સાંજે 7 વાગ્યા બાદ જમવુ ન જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે કેટરિંગમાં થયેલી નાની ભૂલ તેમના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે સાથે ડાયાબિટીસના દર્દીઓમાં એક સમસ્યા ખૂબ જ સામાન્ય છે કે તેઓ મોડી રાત્રે ખાવાનું પસંદ કરે છે. રાત્રે મોડા ખાવાની આદત ડાયાબિટીસ વધવાનું એક કારણ સાબીત થઇ શકે છે.

બીજી બાજુ, જો કોઈ વ્યક્તિને પહેલેથી જ ડાયાબિટીસ છે, તો તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આયુર્વેદમાં સૂચવવામાં આવેલ છે કે હંમેશા 7 વાગ્યા પહેલા તમારું રાત્રિભોજન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિને પહેલેથી જ ડાયાબિટીસ છે, તો તેણે તેની વધુ કાળજી લેવાની જરૂર છે, કારણ કે તે તેની સારવારમાં પણ અવરોધ લાવી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓએ શા માટે સાંજે 7 વાગ્યા પછી રાત્રિભોજન ન કરવું જોઈએ, તે અંગે આયુર્વેદિક તબીબો જણાવે છે કે સાંજે માનવીની પાચનશક્તિ ખૂબ ઓછી હોય છે. જો આ સમય દરમિયાન ભારે ભોજન લો છો, તો જમવાનું બરાબર પચતું નથી. જેના કારણે શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે. વિષ અને કફ બંનેના ગુણધર્મો સરખા છે. જ્યારે શરીરમાં ઝેરનું પ્રમાણ વધે છે, તો તે કફ દોષ પણ વધારે છે. ડાયાબિટીસ રોગ પણ મુખ્યત્વે શરીરમાં કફ દોષના વધારાને કારણે થાય છે. તેથી, જો કોઈ વ્યક્તિને પહેલાથી જ ડાયાબિટીસ છે, તો મોડી રાત્રે ખાવાથી સમસ્યાઓ વધી શકે છે. તેનાથી વિપરિત, જો ભોજન સાંજે 6.30 વાગ્યે લો છો, તો તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં તેમજ અન્ય ઘણી બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!