Published By : Disha PJB
ગુજરાતના દરિયાકાંઠે મંડરાઇ રહેલા બિપરજોય વાવાઝોડાના પગલે તંત્ર દ્ધારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પર મંડરાઈ રહેલ બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે વધારે તીવ્રતાથી ગુજરાતમાં એન્ટ્રી થશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે તંત્ર દ્ધારા બિપરજોય વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઇપણ આપાત્કાલિન પરિસ્થિતિને પહોંચી વળવા વિવિધ વિભાગોની ટીમોને તમામ આધુનિક સાધનોથી સજ્જ કરીને રવાના કરી દેવામાં આવી છે.
વડોદરા પોસ્ટ વિભાગના કાર્યક્રમમાં આવેલ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે બિપરજોય વાવાઝોડા મામલે નિવેદન આપતા જાણવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની જે ધારણા કરી હતી તેના કરતાં ગુજરાતને ઓછું નુકશાન થશે તેવી સ્થિતિ છે અને કેન્દ્ર અને રાજય સરકારે તમામ વ્યવસ્થા ગોઠવી છે. સંભવિત અસર પામનાર તમામ જિલ્લામાંથી અગમચેતીના ભાગરૂપે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે કોઈપણ આપાત્કાલિન પરિસ્થિતિને પહોંચી વળવા હોમ રેડિયો, ટેલિકોમ સુવિધા ,ભોજન, પાણી ,આરોગ્ય અને ટોચ સેલ સુધીની વ્યવસ્થા સરકારે કરી છે.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.