Home Dharmik News નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ‘પરંપરા’ કાર્યક્રમનો શુંભારંભ…ગુરુપૂર્ણિમાનું આગોતરૂ આયોજન…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ‘પરંપરા’ કાર્યક્રમનો શુંભારંભ…ગુરુપૂર્ણિમાનું આગોતરૂ આયોજન…

0

Published By : Parul Patel

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)એ ગુરુ પૂર્ણિમાને લઈ પરંપરાનું આગોતરૂ આયોજન કર્યું હતું. આ દરમિયાન નીતા અંબાણીએ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી અને ગુરુ-શિષ્યના બંધન વિશે વિગતવાર વાત કરી. નીતા અંબાણીએ કહ્યું કે ગુરુ આપણા શિક્ષક, માર્ગદર્શક, અને આપણા સારથિ છે. આ દરમિયાન તેમણે કૃષ્ણથી લઈને વિવેકાનંદ સુધીનો ઉલ્લેખ કર્યો. નીતા અંબાણીએ જણાવ્યુ કે, ગુરુનું નામ આવતા જ એક પવિત્રતાનો અહેસાસ થાય છે. જો ગુરુ શબ્દનો અર્થ જોઈએ તો ‘ગુ’નો અર્થ થાય છે અંધકાર અને ‘રુ’નો અર્થ અજવાશ થાય છે. એટલે કે, ગુરુ શિષ્યના જીવનમાં અંધકારને દુર કરી તેના જીવનમાં અજવાશથી ભરી દે છે.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)

નીતા અંબાણીએ જણાવ્યુ હતુ કે મારા જીવનમાં મને ગુરુઓ મળતા સૌભાગ્ય મળ્યું છે. તેમણે મને માર્ગદર્શન આપ્યું અને તેના લીધે આજે હું અહિ છું. મારી માતાનું નામ પૂર્ણિમા છે. તેમણે માતા-પિતાને સન્માન આપવાની વાત કરી અને કહ્યું કે, માતા-પિતા જ આપણું માર્ગદર્શન કરે છે અને પોતાની બુદ્ધિમત્તા અને નિસ્વાર્થ પ્રેમના દમ પર આપણે શીખ આપે છે.

નીતા અંબાણીએ પણ તેમના સસરા ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા. તેમણે કહ્યું કે તેઓ માત્ર આપણા હૃદયમાં જ નહીં, પરંતુ કરોડો ભારતીયોના હૃદયમાં જીવે છે. આજે, હું મારા પિતાને આદર અને સ્નેહ સાથે નમસ્કાર કરું છું.🙏🏻

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version