Home News Update My Gujarat પવનની ગતિના લીધે પાવાગઢમાં રોપ વે સેવા બંધ…

પવનની ગતિના લીધે પાવાગઢમાં રોપ વે સેવા બંધ…

0

બે દિવસથી સતત પવન રહેતા રોપ વે સંચાલકોએ નિર્ણય લીધો હતો કે પાવાગઢમાં રોપ વે સેવા બંધ રાખવામાં આવે. ગઇ કાલથી નીકળેલા ભારે પવનને કારણે રોપ વે ચલાવવો તે સંચાલકોને યોગ્ય લાગ્યું નહોતું. ગઈકાલે પવનના કારણે રોપ-વે સેવા કેટલાંક સમય સુધી બંધ રહેતા યાત્રિકો હેરાન થયા હતા. જોકે રોપ વે સંચાલકોએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા માટે બારે પવનમાં રોપ વે ચલાવી શકાય નહીં તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગત રોજ ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ બંધ પડી
જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ તીવ્ર જોવા મળી હતી. જેને કારણે ગત રોજ ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ પડી હતી. ઉડન ખટોલાના સંલગ્ન અધિકારીઓેને જણાવ્યું હતું કે પવનની ગતિ વધતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે ભારે પવન બંધ થતા રોપ વે ફરીથી શરૂ કરવામાં આવશે. હવામાન સ્થિર થશે એટલે રાબેતા મુજબ રોપ વે ચાલુ કરી આપવામાં આવશે તંત્ર જણાવ્યુ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version