Monday, September 15, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalપાકિસ્તાન કયારે સુધરશે? પાકિસ્તાની વિદેશ મંત્રીનું વધુ એક વિવાદીત નિવેદન…જણાવ્યુ કે હું...

પાકિસ્તાન કયારે સુધરશે? પાકિસ્તાની વિદેશ મંત્રીનું વધુ એક વિવાદીત નિવેદન…જણાવ્યુ કે હું મોદી, ભાજપ અને RSSથી નથી ડરતો

પાકિસ્તાન ક્યારેય સુધરે એમ લાગતું નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમની પાર્ટી ભાજપ અને RSSથી ડરતો નથી. બિલાવલે એમ પણ કહ્યું કે બે દિવસ પહેલા તેણે જે કહ્યું હતું તે ઈતિહાસ મુજબ હતું અને ઈતિહાસને બદલવો ઘણો મુશ્કેલ છે.
ગુરુવારે બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મરી ગયો, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતનો વડાપ્રધાન છે. આ પછી ભાજપના કાર્યકર્તાઓએ દેશભરમાં બિલાવલનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ પાકિસ્તાની દૂતાવાસની બહાર પણ પ્રદર્શન કર્યું હતું.

બિલાવલ ન્યૂયોર્કમાં પાકિસ્તાની મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. જ્યારે મીડિયાએ ભારતમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ અંગે પૂછ્યું તો તેમણે જવાબ આપતા કહ્યું કે આ વિરોધ પ્રદર્શનોનો હેતુ પાકિસ્તાનને ડરાવવાનો છે, પરંતુ તે કામ કરશે નહીં. બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન મોદીને કસાઈ કહેવાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું- તેમનો ઉદ્દેશ્ય ભારતમાં મુસ્લિમો પ્રત્યે ચાલી રહેલા ભેદભાવ અને નફરત સામે અવાજ ઉઠાવવાનો હતો. આવી સ્થિતિમાં તેમની સામે વિરોધ કરવાને બદલે નફરત અને ભેદભાવ સામે અવાજ ઉઠાવવો વધુ સારું રહેશે.

વિદેશ મંત્રી જયશંકરે સચોટ જવાબ આપતા જણાવ્યું હતું કે મેક ઇન પાકિસ્તાન ટેરરિઝમ’ પર પ્રતિબંધ લગાવો

ભારતે બિલાવલ ભુટ્ટોના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રી જયશંકરે UNSCમાં પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું, ત્યારબાદ બિલાવલે PM મોદીને લઈને આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભારતે વળતો જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન પાસે એટલી વિશ્વસનીયતા નથી કે ભારત પર આંગળી ઉઠાવી શકે . હવે ‘મેક ઇન પાકિસ્તાન ટેરરિઝમ’ રોક લગાવી પડશે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનના વિદેશમંત્રી 16 ડિસેમ્બર 1971નો દિવસ ભૂલી ગયા છે. જ્યારે પાકિસ્તાનના 90 હજારથી વધુ સૈનિકોએ ભારતીય સેનાની આગળ સરેન્ડર કર્યું હતું. પાકિસ્તાની શાસકો દ્વારા બંગાળીઓ અને હિન્દુઓના નરસંહારનું આ પરિણામ હતું. લઘુમતીઓ સાથે પાકિસ્તાનના વ્યવહારમાં હજુ પણ કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન હવે આતંકવાદીઓનો ઉપયોગ કરવા સક્ષમ નથી. બિલાવલ ભુટ્ટોનું વિવાદાસ્પદ નિવેદન આનું પરિણામ છે. વધુમા જણાવ્યુ કે બિલાવલ ભુટ્ટોએ તેમના દેશમાં હાજર આતંકવાદના માસ્ટરમાઇન્ડ વિશે નિવેદન આપવું જોઈએ, જેમણે આતંકવાદને દેશની નીતિનો ભાગ બનાવી દીધો છે. પાકિસ્તાને પોતાનું વલણ બદલવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!