Published By : Aarti Machhi
બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને જોતા ઘણા બાંગ્લાદેશી નાગરિકો ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘૂસણખોરીના આ પ્રયાસ વચ્ચે ભીડની મદદથી કટ્ટરપંથી જૂથો પણ ભારતમાં પ્રવેશ કરી શકે છે. જેના કારણે બોર્ડર પર બીએસએફને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. તો બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અને વિરોધ વચ્ચે ભારત સરકારે બાંગ્લાદેશમાં તેના તમામ વિઝા કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.શેખ હસીનાના રાજીનામા બાદ આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાશે. આ 15 સભ્યોની સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ કરશે. સરકારનો શપથ ગ્રહણ સમારોહ રાત્રે 8:30 કલાકે થશે.