Home Bihar બિહારમાં કવિતાનું રાજકારણ ગરમાયું…મનોજ ઝા અને ‘ઠાકુર કા કુઆ’કવિતાને લઈને બિહારના રાજકારણમાં...

બિહારમાં કવિતાનું રાજકારણ ગરમાયું…મનોજ ઝા અને ‘ઠાકુર કા કુઆ’કવિતાને લઈને બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો…

0

Published by:- Bhavika Sasiya

બિહાર રાજ્યમાં નાના મોટા મુદ્દા પર પણ રાજકારણમાં ગરમાવો આવી જાય છે….
હાલમાં સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ ‘ઠાકુર કા કુઆ’ કવિતા વાંચી હતી. આ કવિતા ખુબ સાંકેતિક હતી આ કવિતા પઠન પછી બિહારના રાજકારણમાં નવો વિવાદ શરૂ થઈ ગયો છે. ઘણા નેતાઓ આ મુદ્દાને રાજપૂત સન્માન સાથે જોડીને મનોજ ઝાને દોષી ઠેરવી રહ્યા છે. જોકે તાજેતરમાં જેલમાંથી છૂટેલા આનંદ મોહન સિંહ અને તેમના પુત્ર ચેતન આનંદ મનોજ ઝા સામે આક્રમક વલણ દર્શાવવામાં મોખરે છે. જેમા ચેતન આનંદ આરજેડીના ધારાસભ્ય છે.

પરંતુ આશ્ચર્ય જનક બાબત એ છે કે પરંતુ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આ મુદ્દે મનોજ ઝાનું સમર્થન કર્યું છે.લાલુ યાદવે કહ્યું છે કે, “મનોજ ઝા એક વિદ્વાન માણસ છે. તેમણે સાચું કહ્યું છે. તેમણે રાજપૂતો વિરુદ્ધ કંઈ કહ્યું નથી. જે ​​સજ્જન નિવેદન આપી રહ્યા છે તે જાતિવાદ ખાતર આવું કરી રહ્યા છે, તેમણે દૂર રહેવું જોઈએ.”

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version