Publlished By:-Bhavika Sasiya
સામાન્ય રીતે બેંકના ખાતેદારોને એવો અનુભવ થાય છે કે બેંક ના અમલદારો લંચ પછી આવજો. એમ જણાવે છે.
વાસ્તવમાં બેંક અધિકારીઓ આવું કહીને કામ ટાળી ન શકે, જો કોઈ બેંક અધિકારી ખાતેદારો ના કામ કરવાનો ઇનકાર કરે છે, તો ખાતેદાર તેની ફરિયાદ કરી શકો છો. બેંકમાં ગ્રાહકોના અધિકારો શું છે.તેની વિગત જોતા
બેંક અધિકારીઓ અભદ્ર વર્તન, હુમલો, લિંગ, ધર્મ અને ગ્રાહકોની ઉંમર વિશે ટિપ્પણી કરી શકતા નથી. ખાતેદાર પાસે ધાકધમકી દ્વારા કોઈપણ કરાર પર હસ્તાક્ષર કરાવી ન શકે.
: આ સિવાય ખાતેદારને કોઈપણ સ્કીમમાં રોકાણ કરવા આગ્રહ ન કરી શકે ગ્રાહકની અંગત માહિતી અન્ય કોઈની સાથે શેર કરી શકાતી નથી. ઉપરાંત, ગ્રાહક ખાતા સંબંધિત માહિતી આપવાનો ઇનકાર કરી શકે નહીં.
આઈટીઆરમાં મળેલી માહિતી મુજબ બેંક કર્મચારીઓ એક પછી એક લંચ પર જઈ શકે છે. આ દરમિયાન સામાન્ય કામકાજ ચાલુ રહેશે.
જો કોઈ કર્મચારી કામ કરવાનો ઇનકાર કરે છે અથવા ખાતેદારો ને કલાકો સુધી રાહ જોવડાવે છે, તો ખાતેદાર બેંકમાં રજીસ્ટર કરેલી ફરિયાદમાં લખીને તેની ફરિયાદ કરી શકો છો. જો આનાથી કંઈ ન થાય તો ખાતેદાર બેંક મેનેજરને ફરિયાદ કરી શકે છે….