Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચના પૂર્વ પટ્ટીના 80 ટકા ખેડૂતો કેળાની ખેતી પર નિર્ભર

ભરૂચના પૂર્વ પટ્ટીના 80 ટકા ખેડૂતો કેળાની ખેતી પર નિર્ભર

-કેળાની ખેતીમાં 1.40 લાખના ખર્ચ પાછળ 6 લાખની આવક

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામની સીમમાં થતા કેળા મુંબઇ સુરત સહિત રાજસ્થાનના ફ્રુટ માર્કેટમાં ફેમસ હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી શુકલતીર્થ ગામ સહિતના ગામોના 80 ટકા ખેડૂત કેળાની ખેતી કરે છે. કેળાની ખેતી માટે નર્મદા નદી કિનારાની જમીન માફક આવે છે. આ વિસ્તારના ખેડૂતો મોટાપાયે કેળાની ખેતી કરતા થયા છે.

જીઇબીની નોકરીમાં નિવૃત થયા બાદ ખેતી

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામના ખેડૂત જીઇબીની નોકરીમાં નિવૃત થઈ ગયા બાદ કેળાની ખેતી કરી સારું ઉત્પાદન મેળવે છે. મેટ્રિક ફેલ વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ 4 એકર જમીનમાં કેળાની ખેતી કરી મબલક આવક મેળવે છે.

ચરણદાસ પટેલ એકાઉન્ટન્ટની નોકરી છોડી ખેતીમાં ઝંપલાવ્યુ

વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ અને તેઓના પુત્ર ચરણદાસ વિઠ્ઠલભાઈ પટેલ G9 જાતના કેળાની ખેતી કરી રહ્યા છે. તેઓના પુત્ર ચરણદાસ પટેલએ પણ અભ્યાસમાં બીકોમ કર્યા બાદ ભરુચ જિલ્લામાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી હતી. ખેતીમાં સારું મળી રહેતા તેઓ પોતાની નોકરી છોડી ખેતી કરતા થયા છે.

કેળાની ખેતીમાં જૈન કંપનીના ટીશ્યુ સારા આવે છે

આમ તો ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલ બાપ દાદાની ખેતી હોય સમજતા થયા ત્યારથી જ ખેતી કરે છે. પરંતુ રિટાયર્ડ થયા બાદ ખેતીમાં વધુ ધ્યાન આપે છે. તેઓ કેળાની ખેતીમાં GNFC સહિત જૈન કંપનીના ટીશ્યુ લાવે છે. જૈન કંપનીમાંથી આવતા ટિશ્યૂ સારા આવતા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. ગાંઠ રોપ્યા બાદ એક વર્ષે ઉત્પાદન થાય છે. ખેડૂતને એક છોડ 15 રૂપિયાનો પડે છે. એક લુમ 22 થી 24 કિલોની હોય છે. ખેડૂત કેળાની માવજત માટે નિયમિત પાણી, ખાતર આપે છે. ખેડૂત ખાતર માટે યુરિયા, પોટાશ, ડાય, સલ્ફેટનો ઉપયોગ કરે છે.

મૂળફેર માટે 1 વર્ષ બાદ દિવેલાની ખેતી

ખેડૂતો મૂળફેર માટે 1 વર્ષ બાદ કેળા કાઢી નાખ્યા બાદ દિવેલા કરે છે. ખેડૂત કેળાની ખેતીમાં 1.40 લાખનો ખર્ચ કરે છે. તેની તેઓને આવક પાંચથી છ લાખ રૂપિયા મળી રહે છે. જો કે મજૂરી ખર્ચ સહિતનો ખર્ચ કાઢતા તેઓને ત્રણથી ચાર લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મળે છે.

ખેડૂતના પકવેલ કેળાનું બિકાનેર માર્કેટમાં જાય છે

તેઓ કેળાનો પાક થઈ ગયા બાદ ગામના દલાલોને જ આપી દે છે. ખેડૂતના કેળા સ્થાનિક માર્કેટમાં જાય છે. સુરત, બોમ્બે તેમજ બિકાનેરમાં જાય છે. ખેડૂતના પકવેલ કેળા બિકાનેરમાં વધારે જાય છે. હાલ ખેતીમાં ભૂંડનો ત્રાસ વધારે છે. તે પાકને નુકસાન પહોંચાડે છે. ખેડૂતે તેના પ્રોટેક્શન માટે ખેતીને ફરતે તારની જાળી લગાવી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!