Published by : Vanshika Gor
ભરૂચ ભોલાવ GIDC માં 22 માર્ચે નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગમાં ભીષણ આગની ઘટનામાં સિક્યોરીટી ગાર્ડના રીમાન્ડ મેળવાયા છે.ભરૂચની નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગ પિતા પુત્રની બન્ને ફેકટરી 22 માર્ચે આગમાં હોમાઈ ગઈ હતી. ભીષણ આગને કાબુમાં લેવા 22 ફાયર બ્રિગેડ કામે લાગ્યા હતા. બે દિવસ બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી.સી ડિવિઝન પી.આઈ. હસમુખ ગોહિલ અને ટીમે તપાસ હાથ ધરતા નજીકના સીસીટીવીમા નવો સિક્યોરીટી ગાર્ડ જ માચીસથી બન્ને ફેકટરી ફૂંકી મારી હતી.
બન્ને ફેકટરીના માલિકે 11 કરોડનું નુકશાન અને 11 કર્મચારીના જીવ જોખમમાં મુકનાર સિક્યોરીટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ફેકટરી ઉપર 3 દિવસ પેહલા જ સવારે સિક્યોરીટી માટે આવેલા મનોજ બકરેનું આગ લગાવવા પાછળ પ્રયોજન તેમજ મકસદ શુ હતું તે જાણવા પોલીસે સોમવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આગ લગાડવાનો હેતુ અને અન્ય તપાસ માટે આરોપી સિક્યોરીટી ગાર્ડના 8 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ છે. રીમાન્ડ દરમીયાન આરોપીએ કેમ આગ લગાવી તેનું કારણ બહાર આવી શકશે.