Home Bharuch ભરૂચની માર્ગમ ડાંસ એકેડેમી ને નૃત્ય વિભૂષણ પુરસ્કાર તથા નૃત્ય અવિષ્કાર પુરસ્કાર...

ભરૂચની માર્ગમ ડાંસ એકેડેમી ને નૃત્ય વિભૂષણ પુરસ્કાર તથા નૃત્ય અવિષ્કાર પુરસ્કાર એનાયત…

0

Published by : Rana Kajal

ભરૂચ સ્થિત ભરતનાટ્યમ નૃત્ય શૈલી ની તાલિમ આપતી ‘માર્ગમ ડાંસ એકેડેમી’ ની શિષ્યાઓ અમદાવાદ માં અખિલ નટરાજમ આંતર સાંસ્કૃતિક સંઘ ની સ્પર્ધા ‘ નૃત્યારંભ ૨૦૨૩ ‘ માં ઝળકી હતી.

ભરૂચની માર્ગમ ડાંસ એકેડેમી ના સંચાલક શ્રીમતી પારિસા રાજા તથા શ્રીમતી મિતાલી જરીવાલા ને બેસ્ટ કોરિયોગ્રાફી અંતર્ગત ‘નૃત્યઅવિષ્કાર’ પુરસ્કાર થી સન્માનિત કર્યા હતા. ૨૫ વર્ષથી ભરૂચ માં સ્થાપિત આ એક માત્ર સંસ્થા માં તાલીમ લઇ રહેલ બે વિદ્યાર્થીનીઓ કુ. કાવ્યા જરીવાલા તથા કુ. હિયા શાહ ને તેમના આરંગેત્રમ તથા વિશારદ ની તાલીમ માટે ‘નૃત્ય વિભૂષણ’ પુરસ્કાર અને સ્પર્ધાં માં તૃતિય સ્થાન ડ્યુએટ કેટેગરી પર્ફોમન્સ મેળવવા માટે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા માં સંસ્થાની વિદ્યાર્થી કુ. વિહાની પટેલ એ સોલો કેટેગરી માં તૃતીય સ્થાન ઈનામ મેળવેલ છે. અન્ય ગ્રુપ ડાંસ કેટેગરી માં પણ માર્ગમ ને તૃતીય સ્થાન મેળવેલ છે. જેમાં સંસ્થા ની વિદ્યાર્થીનીઓ કુ.અયાતી જૈન, કુ. હ્રીડા શાહ .કુ ક્રિશા પટેલ , કુ. વિહાની પટેલ અને કુ. શ્રી શાહ ને ઇનામ એનાયત કર્યા હતા.

સંસ્થા ની સર્વે વિજેતા વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી, સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version