લોકશાહીના મહાપર્વમાં ગ્રામ્યકક્ષાએ આવેલી નાની -મોટી વિવિધ દુધ મંડળીઓએ લોકજાગૃતિ લાવવા અનોખી પહેલ કરી ડેરીમાં દુધ ભરાયા બાદ મળતી રસિદ પર “મતદાન” જાગૃતિ સંદેશ જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સૂમેરાના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.મતદાન જાગૃતિ સંદેશ વધારેમાં વધારે ફેલાઈ તે માટે ચૂંટણીપંચ દ્વારા અવનવા કાર્યક્રમનો અવસર ચાલી રહ્યો છે.વાત કરીએ ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની તો અહીં લોકો ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરી આર્થિક ઉપાર્જન મેળવે છે. તેના જ કારણે ગામડાંના ૯૦ ટકા લોકો માટે પશુપાલન જીવાદોરી સમાન છે. લોકશાહીના આ મહાપર્વમાં ભરૂચ જિલ્લાની ગ્રામ્યકક્ષાએ આવેલી નાની -મોટી વિવિધ દુધ મંડળીઓએ લોકજાગૃતિ લાવવા અનોખી પહેલ કરી છે.

આ પહેલ અંતર્ગત દુધ ભરવાના કાર્ડ તેમજ દુધ ભર્યો બાદ સંસ્થા અથવા મંડળી તરફથી મળતી રસિદ પર મતદારોને નૈતિક મતદાન માટે પ્રેરિત કરતા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા પ્રિન્ટ કરવામાં આવ્યા છે. નાનામાં નાનો વ્યકિત પણ પોતાનો અધિકાર અને પવિત્ર ફરજ નિભાવવા મતદાન કરે તે હેતુથી દુધ ભર્યા બાદ મળતી રસિદ પર નૈતિક મતદાનની પ્રેરણા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા સાથે ૧ લી ડીસેમ્બરે અવશ્ય મતદાન કરવાની માહિતી સહિતની વિવિધ સંદેશાઓની પ્રિન્ટ કરાઈ છે. આમ રોજગારીના અભિન્ન અંગ સાથે મતદાર જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યું છે.