Home Bharuch ભરૂચ વિશ્વ ગાયત્રી અલખધામના મહંત 1008 મહામંડલેશ્વર અલખગીરીજી મહારાજ બ્રહ્મલીન…

ભરૂચ વિશ્વ ગાયત્રી અલખધામના મહંત 1008 મહામંડલેશ્વર અલખગીરીજી મહારાજ બ્રહ્મલીન…

0

Published by : Rana Kajal

  • 84 વર્ષની વયે દેહત્યાગ, શનિવારે કાસોડમાં ગાયત્રી ધર્મપીઠ ખાતે સમાધિ અપાશે
  • નર્મદા જ્યંતી મહોત્સવના પ્રેરક અલખગીરીજી 24 વર્ષથી નર્મદા જ્યંતિની કરતા ભવ્ય ઉજવણી
  • દેશ-વિદેશમાં 8 આશ્રમો, 7 વર્ષે 750 કૃષ્ણ ભજનની રચના, 42 વખત ગિરનાર અને 3 વર્ષ 3 મહિના 13 દિવસ સંપૂર્ણ નર્મદા પરિક્રમા કરી

ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સ્થાપક અને ભારત સહિત વિદેશમાં પણ 8 થી વધુ આશ્રમોની સ્થાપના કરનાર 1008 મહામંડલેશ્વર સ્વામી અલખ ગીરીજી મહારાજનું આજે વહેલી સવારે 84 વર્ષની વયે નિધન થતાં સમગ્ર અન્યાયો અને ગાયત્રી પરિવારમાં શોકનું મોજુ.

નર્મદા જયંતીના પ્રેરક અલખગીરી મહારાજ છેલ્લા 24 વર્ષથી ધામધૂમથી મા નર્મદા જયંતિની ઉજવણી કરી રહ્યા હતા. જેમાં 108 નૌકા વિહાર 1008 માતાજીને ચુંદડી અર્પણ, દૂધ અભિષેક સહિત વિવિધ કાર્યક્રમો કરી સંત સંમેલન સહિતના વિવિધ કાર્યક્રમો કરી માં નર્મદાજીની જયંતિ ભવ્ય થી ભવ્ય રીતે ઉજવણી છેલ્લા 24 વર્ષથી જેવો કરી રહ્યા હતા.

નર્મદા જયંતિ ઉજવણી કરવાનું તેઓનું એક જ લક્ષ હતું કે સમગ્ર ભારતના લોકો ક્યારે પાણી વગર તરસ્યા ના રહે. પશુ પંખી પણ ક્યારે પાણી વગર તરસાના રહે અને ભારતનો ખેડૂત સદા માં નર્મદાના નીરથી તેઓની ખેતી પકવતા રહે. તેવા હેતુથી છેલ્લા 24 વર્ષથી જેવો માં નર્મદાજીની નર્મદા જયંતીની ઉજવણી કરી રહ્યા હતા.

અલખગીરીજી મહારાજ દ્વારા ભારત તથા ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેઓ દ્વારા આશ્રમની સ્થાપના કરાઈ છે. ગુજરાતમાં કાસોદ ભરૂચ, વડોદરા, સાવલી, કનોડા, સીમડી, ખંભાત અને યુએસમાં, મીલેશિયન શ્રેણીમાં જેઓએ આમ 8 આશ્રમોની સ્થાપના કરી છે

બાવાજી રામ મહારાજ તથા સુરજબાના કુખે સદગુરુ ખોડારામજી મહારાજના આશીર્વાદથી અલખગીરીજી મહારાજનું પ્રાગટ્ય આનંદ જિલ્લામાં કાસોદ ગામ કાસોદ મુકામે થયો. માત્ર સાત 7 વર્ષનીજ ઉંમરે 750 કૃષ્ણ ભજનની રચના કરી ત્યાર બાદ ગિરનાર સ્થિત કમાન્ડલ કુંડના સ્થાપક મહંત સદગુરુ અમૃત ગીરીજી મહારાજના તેવો માત્ર 8 વર્ષની ઉંમરે શિષ્ય બન્યા. તેઓના આદેશથી આઠ વર્ષની ઉંમરે કૈલાસ સ્થિત માનસરોવર મુકામે મા ગાયત્રીના અગોર તપસ્યાના અંતે માતાજીના સંસ્કાર કર્યો નંદવરસ શ્રી સર્વેશ્વરાનંદ બાબા દ્વારા અલગ ગીરીજીની પદવી પ્રાપ્ત કરી.

સદગુરુ મહંત અમૃતગિરિજી મહારાજના આદેશથી 42 વખત ગિરનારની પરિક્રમા કરી ત્યારબાદ તેઓના આશીર્વાદથી ત્રણ વર્ષ ત્રણ મહિના અને 13 દિવસમાં માં નર્મદાની પરિક્રમા અયાચક અપ પરિવહન તથા દિગંબર અવસ્થામાં માત્ર દિવસમાં 3 ખોબા નર્મદાનું પાણી પીને માં નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી પરિણામ સ્વરૂપે હાલ ઝાડેશ્વર અલખધામ ગાયત્રી મંદિરમાં નર્મદા તટ પર સતત ત્રણ રાત્રિ તપસ્યા અંતે માં નર્મદા તથા સપ્ત ઋષિના સાત સાત કાર કરી પરિણામ સ્વરૂપે રોટલો તથા ઓટલોની ભેટ ધરી, અલખધામ વિશ્વ ગાયત્રી મંદિરની સ્થાપના કરી. મંદિરનું નિર્માણ અને આજે હજારો ભકતો ગાયત્રી મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

આ સાથે ગુરુજી રાષ્ટ્રીય સંત સમિતિના નિર્દેશક તથા પૂર વાચક ભારતના કોષાધ્યક્ષ તરીકે પણ કીર્તિમાન થયા છે. શનિવારે ગુરુજીને આણંદ જિલ્લામાં આવેલ કાસોદ ગામે તેઓના ગાયત્રી મંદિર ખાતે સાંજે 4 કલાકે સમાધિ આપવામાં આવશે. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો, અનુયાયીઓ, સંતો ઉપસ્થિત રહેશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version