Home Bharuch ભાડભૂત બેરેજમાં વર્ષે બે પાક ઉપજાવતી ધંતુરિયા ગામની 1610 વીંઘા ફળદ્રુપ જમીનને...

ભાડભૂત બેરેજમાં વર્ષે બે પાક ઉપજાવતી ધંતુરિયા ગામની 1610 વીંઘા ફળદ્રુપ જમીનને બંજર બતાવવાનો કોનો કારસો.. અસરગ્રત ખેડૂતોનો ઉદગાર

0
  • ફળદ્રુપ જમીનનું નવી જંત્રી અને આસપાસના ગામ મુજબ વળતર નહિ તો બેરેજની કામગીરી નહિ નો સુર
  • વર્ષે વીંઘે બે થી અઢી લાખની ઉપજ આપતી જમીનના 7 થી 8 લાખ જ મળતા ખેડૂતોને મજૂરી કરવાનો વારો આવશે
  • ગામની 98 વિધવા બહેનોમાં 68 બહેનો સંપાદન બાદ જમીન વિહોણી બનશે
  • ભાડભુતને રૂ.625, તરિયાને 535 તો ધતુરીયાને પ્રતિ ચોરસ મીટરે ₹300 જ કેમ
  • જમીન ગયા બાદ નવી જંત્રી મુજબ અસરગ્રસ્ત ખેડૂત જમીન ખરીદી પણ નહીં શકે

Published By : Aarti Machhi

ભાડભુત બેરેજના ડાબા કાંઠા અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ હાલની જંત્રી મુજબ વળતર નહિ મળે તો જેસીબી અને રોલર અમારા પરથી ચઢાવવા પડશે તેવો ઉદગાર વ્યક્ત કર્યો છે.

ભાડભૂત બેરેજ યોજનામાં અંકલેશ્વર તાલુકાના ડાબા કાંઠાના ધંતુરિયા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રે તેમની ફળદ્રુપ જમીનને બંજર બતાવી પ્રતિ ચોરસ મીટરે માત્ર ₹300 આસપાસનો વળતરનો આપેલો ભાવ અન્યાય સમાન હોવાની વેદના વ્યક્ત કરી છે. બાજુના જ આવેલા ભાડભુત ગામે વળતર પ્રતિ ચોરસ મીટર રૂપિયા 625 જ્યારે તરિયામાં 535 ગણાયું છે.ધંતુરિયા ગામથી રિલાયન્સ, ગેઇલ, ONGC સહિત પાંચ કંપનીની ખરાબાની જમીનના ભાવ સરકારે ₹936 ચો.મીટરના લીધા છે. ત્યારે ખેડૂતોને 2011 પ્રમાણે 13 વર્ષ જુના ભાવો ચૂકવી અન્યાય કેમ.ગામની 1610 વીંઘા જમીન બેરેજમાં સંપાદિત થઈ રહી છે.

અસરગ્રસ્ત ખેડૂતો વીંઘે જમીનમાં વર્ષે 2 થી અઢી લાખની ઉપજ મેળવે છે ત્યારે તેમને 7 થી 8 લાખનું મળનાર વળતર ખેડૂત મિટાવી મજૂર બનાવી દેશે.અસરગ્રસ્તોમાં 98 વિધવા મહિલા છે જેમાં પણ 68 મહિલાની તો તમામ જમીન સંપાદિત થઈ રહી છે ત્યારે હાલની બજાર કિંમત મુજબ વળતર ચૂકવાઈ તે જરૂરી છે. બાકી એક પણ ખેડૂત નવી જમીન ખરીદી કરવા પણ સક્ષમ નહિ રહે.જો સરકાર હાલના બજાર ભાવ, નવી જંત્રી મુજબ ન્યાયિક વળતર નહિ ચૂકવે તો ગામના અસરગ્રસ્ત ખેડૂતો બેરેજની કામગીરીને કરવા નહિ દે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version