Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમહારાષ્ટ્રના રાજકારણ માં ફરી આવશે ગરમાવો… શરદ પવાર પીએમ મોદીને લોકમાન્ય તિલક...

મહારાષ્ટ્રના રાજકારણ માં ફરી આવશે ગરમાવો… શરદ પવાર પીએમ મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી કરશે સન્માનિત…

Published By:-Bhavika Sasiya

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવશે તા 1 ઓગસ્ટ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રના પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શરદ પવાર હશે, જેઓ પીએમનું સન્માન કરશે. આ દરમિયાન પીએમ પ્રસિદ્ધ દગડુશેઠ ગણપતિ મંદિરમાં પૂજા અર્ચના કરશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે પુણે મેટ્રો ફેઝ-1ના બે કોરિડોરના ઉદ્ઘાટન સાથે, વડા પ્રધાન મોદી મંગળવારે મેટ્રો ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.કાર્યક્રમમાં પીએમ મોદી અને શરદ પવાર એક જ મંચ પર હોવાને કારણે રાજકારણ ગરમાયું છે. ઈન્ડિયા એલાયન્સના કેટલાક સભ્યોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. તેમજ વડાપ્રધાન કચરામાંથી ઉર્જા ઉત્પાદન માટેના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આશરે રૂ. 300 કરોડના ખર્ચે વિકસિત આ પ્લાન્ટ વાર્ષિક આશરે 2.5 લાખ મેટ્રિક ટન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરશે. આ ઉપરાંત, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) દ્વારા બાંધવામાં આવેલા 1,280 થી વધુ ઘરો અને પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા 2,650 ઘરો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને સોંપવામાં આવશ1 ઓગસ્ટે યોજાનાર આ કાર્યક્રમ પર સૌની નજર રહેશે. 2 જુલાઈના રોજ, અજિત એનડીએમાં જોડાયા અને રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા પછી, શરદ પવારે પણ પીએમ મોદી પર હુમલો કર્યો. પવારે પીએમ મોદીને NCP નેતાઓના ‘ભ્રષ્ટાચાર’ વિશેના તેમના નિવેદનોની યાદ અપાવીને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી.તેવા સમયે આ સન્માન કાર્યક્રમનું રાજકીય મહત્વ વધુ વધી ગયું છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!