Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateરાજપીપળામાં જંગલની જમીન મુદ્દે 10 હજારથી વધુ આદિવાસીઓની 3 કિમો લાંબી જંગી...

રાજપીપળામાં જંગલની જમીન મુદ્દે 10 હજારથી વધુ આદિવાસીઓની 3 કિમો લાંબી જંગી રેલી…

Published by: Rana kajal

  • કાલાઘોડાથી રેલી કાઢી કલેકટર કચેરી પોહચી વન અધિકાર માટે કરી રજુઆત
  • ગીર ફાઉન્ડેશને મંજૂર કરેલ નિયમો કરતા ઓછી જમીન આપવામાં આવતી હોવાનો સુર

રાજપીપળામાં કાલાઘોડાથી કલેકટર કચેરી સુધી જંગલ જમીન ખેડવા મુદ્દે 10 હજારથી વધુ આદિવાસીઓએ 3 કિલોમીટર લાંબી જંગી રેલી કાઢી તંત્રને રજુઆત કરી હતી.

આજે રાજપીપલા ખાતે વન અધિકાર માટે આદિવાસીઓએ કાઢેલી જંગી રેલી રાજપીપલાના કાળાઘોડાથી નીકળી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી.

ત્યાં મોટી સંખ્યામાં આદિવાસીઓએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જંગલની જમીન પોતાના નામે કરવા માટેનો અધિકાર આ લોકોને મળ્યો નથી. ગીર ફાઉન્ડેશને મંજુર કરેલ નિયમો કરતા ઓછી જમીન આપવામાં આવે છે.

આજે આટલા વર્ષો બાદ પણ સરકાર આદિવસીઓના જંગલ જમીનના મુખ્ય મુદ્દાઓ હલ કરી શકી નથી. આદિવાસીઓએ ચીમકી પણ ઉચારી છે કે, જો વહેલી તકે આ જમીનના મુદ્દાનો ઉકેલ નહિ આવે તો વધુ ઉગ્ર આંદોલન કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!