Published By : Anu Shukla
- રાહુલે જણાવ્યુ કે RSS ઑફિસ નહિ જાવ, મારું ગળું કાપવું પડશે.
- રાહુલે એમ પણ જણાવ્યુ કે વરુણને ગળે લગાવી શકું, પરંતુ તેની વિચારધારાની વિરુદ્ધ છું.
કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી વખતો વખત સ્ફોટક નિવેદનો આપવા ટેવાયેલા છે. હાલમા તેમણે આર એસ એસ અને પોતાના ભાઈ વરુણ ગાંધી અંગે નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંજાબમાં ભારત જોડો યાત્રામાં ભાજપના સાંસદ વરુણ ગાંધીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ વરુણ ગાંધીને ગળે લગાવી શકે છે, પરંતુ તેઓ તેમની વિચારધારાની વિરુદ્ધ છે. રાહુલે વધુમાં કહ્યું હતું કે તેઓ RSS ઑફિસે નહિ જાય. તેના માટે તેઓએ પોતાની ગરદન કાપવી પડશે.
રાહુલે એ પણ કહ્યું હતું કે ‘મારા પરિવારની એક વિચારધારા છે. વરુણે બીજી વિચારધારાને અનુસરી છે. હું તે વિચારધારાને અપનાવી શકું નહિ.’