Published by : Rana Kajal
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 22 નવેમ્બરે ભારત જોડો યાત્રામાંથી બ્રેક લઇ ગુજરાતમાં પ્રચાર માટે આવશે. જ્યાં તેઓ પાર્ટી માટે પ્રચાર કરશે.12 નવેમ્બરના રોજ યોજાનારી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ ન લેવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ભાજપ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હિમાચલ ચૂંટણીમાં પાર્ટી કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને પ્રચાર માટે રાજ્ય પહોંચવાની પણ માંગ કરી હતી, પરંતુ આ દરમિયાન પણ તેમણે પોતાની કૂચ ચાલુ રાખી હતી. હિમાચલમાં ચૂંટણી પૂર્ણ થતાં કોંગ્રેસ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.