Published by : Rana Kajal
રેલ્વે ને નડતા અકસ્માતમાં મોટાભાગે પશુઓના કારણે અકસ્માત થતા હોય છે. ત્યારે વંદે ભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે. ગુજરાતના વલસાડ પાસે ઢોર અથડાતા વંદે ભારત ને અકસ્માત થયો હતો .ટ્રેન સાથે ગાય અથડાતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું છે. જોકે અકસ્માત બાદ ટ્રેન સમારકામ કરી રવાના કરવામાં આવી હતી. આ કેસમાં પણ પશુ માલિક સામે ગુનો દાખલ થઈ શકે છે. અગાઉ અમદાવાદમાં વટવા નજીક આ રીતે જ અકસ્માત થયો હતો. આ ઘટનામાં આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.