Home News Update Nation Update વડાપ્રધાને સીબીઆઇની નૈતિક હિંમત વધારી…

વડાપ્રધાને સીબીઆઇની નૈતિક હિંમત વધારી…

0

Published by : Rana Kajal

મોદીએ જણાવ્યું કે કેટલાક બનાવોમા લોકો સીબીઆઇ તપાસની માંગ કરે છે… એજ સીબીઆઇની ઉપલબ્ધી કહી શકાય… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીઆઇ સ્થાપના દિને સીબીઆઇની નૈતિક હિંમત વધારવા એમ જણાવ્યુ કે લોકોને સીબીઆઇ તપાસ પર પૂરો વિશ્વાસ છે. તેથીજ કેટલાક બનાવો અંગે લોકો સીબીઆઇ તપાસની માંગ કરે છે. સીબીઆઇ સત્યની બ્રાન્ડ છે. સાથેજ કોઇપણ પક્ષનું નામ લીધા વગર હાલના સમયમાં ઇ. ડી. અને સીબીઆઇનો કેન્દ્ર સરકાર દ્વારા દુરૂપયોગ થાય છે તેવા આક્ષેપોનો આડકતરો ઉલ્લેખ કરી વડાપ્રધાને જણાવ્યું હતું કે સીબીઆઇ ગમે તેવા શકિતશાળી ભ્રષ્ટાચારીને છોડે નહીં અને સાથેજ આકરી કાર્યવાહી પણ કરે. મોદીએ એમ પણ જણાવ્યું હતું કે આજે દેશમા ભ્રષ્ટાચાર સામે લડવા માટે રાજનીતિક ઈચ્છા શક્તિમા કોઈજ કમી નથી. આમ કહી મોદીએ વિવિધ રાજકીય પક્ષો પર કટાક્ષ કર્યો હતો . વડાપ્રધાન મોદીએ સીબીઆઇના સ્થાપના ના હીરક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version