- રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે
વડોદરાની જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા અને 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
શહેરમાં જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અને બે લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ વિગતો એકઠી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરાના જરોદ પાસે થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ દુ:ખદ ગણાવી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરી છે.રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપુત , વડોદરા)