Published by : Vanshika Gor
આમ આદમી પાર્ટી દ્વારા સરકારના રાંધણ ગેસના બોટલના ભાવ વધારાનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કોઠી ચાર રસ્તાથી ગેસના બોટલની નનામી કાઢી હતી અને ગેસના બોટલની નનામીને ચાર કાર્યકરો દ્વારા કાંધ આપી ઘરેલુ એલપીજી ગેસના બોટલમાં કરવામાં આવેલ રૂપિયા 50નો ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતર માં ઘરેલુ ગેસના બોટલમાં 50 રૂપિયાબનો વધારો કર્યો છે. જેથી સરકારનો આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ગેરવ્યાજબી છે. આનાથી સામાન્ય લોકોને ખૂબ મોટો આર્થિક બોજો આવી શકે છે .જેથી આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ કરી ને કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે જો સરકાર આ ભાવ વધારો પાછો નહીં ખેંચે તો આવનાર સમય માં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.