Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujarat‘વન નેશન, વન ઓર્ગન એલોકેશન’ પોલિસી:દેશભરમાં ગમે ત્યાંથી અવરોધ વિના અંગ પ્રત્યાર્પણ...

‘વન નેશન, વન ઓર્ગન એલોકેશન’ પોલિસી:દેશભરમાં ગમે ત્યાંથી અવરોધ વિના અંગ પ્રત્યાર્પણ થઈ શકશે…

Published by : Vanshika Gor

અંગ પ્રત્યાર્પણ અંગે સરકાર દ્વારા મહત્વની નીતી તૈયાર કરવામાં આવી છે. જેના પગલે અંગ પ્રત્યાર્પણની તમામ પક્રીયા ઝડપી અને સરળ બની જશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વિવિધ રાજ્યો સાથે સંકલન સાધીને ‘વન નેશન, વન ઓર્ગન એલોકેશન’ યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજના હેઠળ અંગ પ્રત્યાર્પણ માટેનું રજિસ્ટ્રેશન, અલોકેશન એક જ જગ્યાએથી કરી શકાશે. જેના કારણે દેશભરમાં કોઈ પણ સ્થળેથી પ્રત્યાર્પણ માટે અંગની હેરફેર અવરોધ વિના સરળતાથી થઈ શકશે. હાલ કેટલાંક રાજ્યોમાં ઓર્ગન ટ્રાન્સ્પ્લાન્ટેશન માટેની નોંધણી માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવા સહિતના વિવિધ નિયમો લાગુ છે. જેના પગલે વિવિઘ અવરોધ સર્જાય છે. તે દૂર કરવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નવી યોજનાથી જરૂરિયાતમંદ દર્દી દેશમાં કોઈ પણ સ્થળેથી મૃત વ્યક્તિનું અંગ સરળતાથી મેળવી શકશે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે રાજ્યોને ડોમિસાઇલ સર્ટિફિકેટનો નિયમ નાબૂદ કરવા જણાવ્યું છે. સાથે જ મૃતક દાતાનું અંગ મેળવવા માટેની 65 વર્ષની વયમર્યાદા પણ દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે હવે કોઈ પણ વયની વ્યક્તિ અંગ પ્રત્યાર્પણ કરાવી શકશે.અંગ પ્રત્યાર્પણની નોંધણી માટે ફી વસૂલી શકાય નહીં. ગુજરાત સહિતનાં રાજ્યોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટે દર્દી પાસેથી રજિસ્ટ્રેશન પેટે 5 હજારથી 10 હજાર રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ પ્રકારની ફીની વસૂલાત ટ્રાન્સપ્લાન્ટેશન ઑફ હ્યુમન ઓર્ગન એન્ડ ટિસ્યુઝ રુલ્સ, 2014ની જોગવાઈ વિરુદ્ધ હોવાનું જણાવીને ફી નહીં વસૂલવાની તાકીદ કરી છે. હાલમા દેશભરમાં અંગ પ્રત્યાર્પણમાં વધારો.સત્તાવાર આંકડા અનુસાર 2013માં કુલ 4,990 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ્સ થયાં હતાં જે 2022માં વધીને 15,561 થયાં છે. જીવિત દર્દી પાસેથી કિડની ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા 2013માં 3,495થી વધીને 2022માં 9,834 થઈ છે. જ્યારે મૃત દર્દી પાસેથી કિડની ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા 542થી વધીને 1589 થઈ છે. જીવિત દર્દીમાંથી લિવર ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા 2013માં 658 હતી તે 2022માં વધીને 2,957 થઈ છે. જ્યારે મૃત દર્દીમાંથી લિવર ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા 240થી વધીને 761 થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!