Published by : Rana Kajal
- ગંદા અને ઓઈલી વાળમાં તેલ લગાવવાથી સ્કેલ્પના છિદ્રો થઇ શકે છે બંધ
વાળને મજબૂત બનાવવા માટે સ્કેલ્પમાં તેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. આજકાલ દરેક લોકોને વાળની સમસ્યાઓથી પરેશાન રહેતા હોય છે. કોઈના વાળ ખરતા હોય તો કોઈ વાળની સફેદીથી પરેશાન હોય છે. ત્યાં જ કેટલાક લોકો વાળ પાતળા અને સુકા વાળ થવાથી પરેશાન હોય છે. આ બધી જ સમસ્યાઓના નિરાકરણ માટે વાળમાં તેલ લગાવવાને બેસ્ટ માનવામાં આવે છે. પરંતુ ,તેલ લગાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અન્યથા વાળમાં ફાયદાને બદલે નુકસાન થશે. જો વાળમાં યોગ્ય રીતે તેલ ન લગાવવામાં આવે તો વાળ તૂટવા અને ખરવા લાગે છે
ઘણી વાર અઠવાડિયાના છેલ્લા દિવસોમાં તેલ લગાવવામાં આવે છે કે જેથી બીજા દિવસે વાળને ધોઈ શકાય. પણ વાળ પહેલેથી જ ઓઈલી અને ચીકાશ પડતા છે તો તેલ લગાવવાથી બચો. કારણ કે ગંદા અને ઓઈલી વાળમાં તેલ લગાવવાથી સ્કેલ્પના છિદ્રો બંધ થઇ શકે છે. જેનાથી ગંદકી અને ધૂળ-માટી જામવા લાગે છે. વાળમાં તેલ લગાવ્યા બાદ , વાળ ઓળવાને બદલે, પહેલા તેને યોગ્ય રીતે ઓળી લો. પછી એ ઓળેલા વાળમાં તેલ લગાવો. કારણ કે વાળમાં તેલ લગાવ્યા પછી સ્કેલ્પ ફૂલી જાય છે. જેનાથી વાળ કમજોર થઈને તૂટવા લાગે છે. આ નિયમ ભીના વાળમાં પણ લાગુ પડે છે. ભીના વાળમાં ક્યારેય કાંસકો કરવો જોઈએ નહિ. જેનાથી વાળ ઝડપથી તૂટવા લાગે છે .મોટાભાગની છોકરીઓ વાળમાં તેલ લગાવ્યા બાદ તેને ઝડપથી બાંધી દેતી હોય છે.જેનાથી વાળ ખરે નહિ. પણ વાળને ઝડપથી બાંધવાથી વાળ કમજોર થઈને તૂટવા લાગે છે. કારણ કે, તેલ લગાવ્યા બાદ વાળ સંવેદનશીલ થઇ જાય છે. એટલે વાળને ઝડપથી બાંધવા ન જોઈએ. ઘણીવાર વાળમાં રાત્રી દરમિયાન તેલ લગાવીને સવારે વાળ ધોવાની સલાહ આપવામાં આવે છે. પણ આવું કરવાથી વાળના છિદ્રો બંધ થવા લાગે છે. તેથી વાળમાં રાત્રે તેલ લગાવવાના બદલે વાળ ધોવાના અમુક સમય પહેલા જ તેલ લગાવવું. જેથી વાળમાં ગંદા ધૂળ અને માટીવાળા ન થઇ જાય.તેમજ વાળમાં ડેન્ડ્રફ છે તો વાળમાં તેલના લગાવવું ન જોઈએ.