Home Bharuch વિધાન સભાની ચુંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો.. વાગરા વિધાન સભાના 300...

વિધાન સભાની ચુંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો.. વાગરા વિધાન સભાના 300 જેટલા લોકો  ભાજપમાં…

0
  • વાગરાના ધારાસભ્યએ કેસરિયો પહેરાવી કોંગ્રેસીઓને ભાજપમાં ભેળવી લીધા

વિધાન સભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે એવા રાજકીય પક્ષોએ સભાઓ અને સભ્યો જોડો અભિયાન હાથ ધરી દીધા છે એવામાં આજરોજ ભરૂચ તાલુકાના વાગરા વિધાન સભાના બંબુસર ગામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામા બંબુસર તેમજ આજુબાજુના ગામના 300 જેટલા લોકો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ 300 જેટલા આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં આવકારતા કહ્યું હતું કે, તમારો યુઝ એન્ડ થ્રો નહિ થાય, આપણે સિદ્ધબદ્ધ સૈનિકો છીએ. વાગરા બેઠક ભાજપની આવશે તેમા કોઈ બેમત નથી. ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમિત શાહના સંગઠનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રાહબરીમાં સર્વ જનજનનો વિકાસની નેમ સાથે દેશને દુનિયામાં સર્વોચ્ચ સ્થાને લઈ જવા આગળ વધી રહી છે. હવે તમે તમામ પણ ભાજપની આ વિકાસકૂચમાં જોડાઈ ગયા છો.

અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લા પંચાયતની નબીપુર સીટ હજુ પણ કોંગ્રેસ પાસે છે અને નબીપુર તાલુકા પંચાયત પણ કોંગ્રેસ ના હાથ માંજ છે પરંતુ વાગરા વિધાન સભાના બંબુસર ગામે ધારાસભ્ય અરુણસિંહ રણાની સભા થી રાજકીય ભૂકંપ સર્જાયો છે એક સમયે કોંગ્રેસ નું ઘટ કેહવાતા ગામોમાં પણ ભાજપ પગ પેસારો કરી રહ્યા છે અને હજુ પણ કોંગ્રેસ ઊંઘતું રહ્યું તો કોંગ્રેસ મુક્ત થતાં વાર નહિ લાગે.

આજના આ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ શહેરના મહામંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા, લઘુમતી મોરચાના પ્રદેશ આમંત્રિત સદસ્ય સલીમ ખાન પઠાણ, લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખ મુસ્તુફા ભાઈ ખોડા, પાલેજ જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાં પઠાણ તેમજ આજુબાજુના ગામના સરપંચો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version